Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ઍક છેલ્લો પ્રવાસ.....

ઍક છેલ્લો પ્રવાસ.....

નોખી-અનોખી

- કિંજલ પંડ્યા, પારડી

અચાનક મૃત્યુ આવી ચડે ત્યારે..!!???

જિંદગી માટેની ઍકેય ધારણા સાચી નથી પડતી અને હમણાંના સમયમાં મૃત્યુ વિશે તો કહેવું જ શું?

જિંદગીને કદાચ જાણી શકાય પણ મૃત્યુને ક્યારેય નહીં જ. બધું જ ગમતું મળી જાય પણ ગમે ઍટલું કર્યા પછી પણ ગમતું મૃત્યુ નથી જ મળતું કદાચ કળિયુગમાં આવું જ થતું હશે.

મૃત્યુઍ અફર સત્ય છે. આ જ્ઞાન આપણને સૌને છે જ! પરંતુ આવે છે ત્યારે?? શું ત્યારે આપણે સૌ તૈયાર થઈ જઈઍ છીઍ ખરાં?? સ્વર્ગ અને મોક્ષની આજીવન વાતો કરીઍ છીઍ પરંતુ યમરાજ સ્વર્ગમાં લઈ જવાં અને ભગવાન મોક્ષ આપવા તૈયાર થઈ જાય છે ત્યારે પણ શું આપણે મૃત્યુ પામવા માટે તૈયાર હોઈઍ છીઍ ખરાં??? ખૂબ અઘરું લાગે છે ને?!

આખી જિંદગી લોકોને મૃત્યુનું જ્ઞાન આપીઍ છીઍ પરંતુ આપણું પોતાનું મૃત્યુ આવે છે ત્યારે?? ઍ જ જ્ઞાન આગળ અંધકાર ફેલાઈ જાય છે. બુદ્ધિ બહેર મારી જાય છે. 

મૃત્યુ કુદરતી રીતે આવે તો સહજ લાગે. કોઈ રોગ દ્વારા આવે તો અઘરું લાગે. પરંતુ અચાનક મૃત્યુ આવે ત્યારે?? આંચકો પણ ન લાગે! 

શું આપણે સૌ આ અચાનક આવતાં મૃત્યુ માટે તૈયાર છીઍ ખરાં? શું આપણે અચાનક મૃત્યુની કશી તૈયારી કરી છે ખરી? શું આપણે સૌઍ અચાનક જવું પડે ઍ માટે બેગપેક કરી છે ખરી?? યમરાજ અચાનક અટ્ટહાસ્ય કરતાં આવશે અને કહેશે, ચલો વત્સ, અબ તુમ્હારી બારી! ઍવાં સમયે શું તરત ઊભા થઈ ઍમની સાથે ઍમની શાહી સવારી પાડા ઉપરની પાછલી સીટ ઉપર હર્ષભેર ગોઠવાઈ જશું ખરાં??

આ બધા જ સવાલો લખવામાં અને વાંચવામાં સહેલા લાગે છે પરંતુ ઍને વિચારીઍ તો ચોક્કસ ચક્કર આવે ઍમ છે.

ગુરુવારે થયેલ અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ૨૪૨થી વધુ લોકોને ઘડીનાં છઠ્ઠા ભાગમાં કાળ ભરખી ગયો. તેઓ કંઈક વિચારે અથવા તો હવે ઍમનો અંત નક્કી છે ઍવો અણસાર આવે ઍ પહેલાં તો અનંત યાત્રા પર નીકળી ગયાં. હવે આ સમયે ઍમની સંતતિ અને સંપત્તિ પણ કામ ના લાગ્યાં. ઍ તો ઠીક યાદ પણ ન આવ્યાં. ઍટલો સમય જ ક્યાં મળે છે.!? કદાચ મળે તો પણ શું યાદ કરવાનાં?? કોને કોને યાદ કરવાનાં? વળી, કાળ ઍટલો સમય આપે પણ છે ખરો?

મૃત્યુની વાતો કરવી, મૃત્યુ થતાં જોવું અને જાતે મૃત્યુને માણવું આ ત્રણેય અલગ અલગ બાબતો છે. આ ત્રણેય પરિસ્થિતિને જો ઊંડાણપૂર્વક જાણવું હોય તો.. આપણે પણ મરવું પડે અને ઍકવાર મૃત્યુ આવી જાય પછી આ બધાં પ્રશ્નો જ નકામાં. કોણ કોને પૂછે અને કોણ? કોને જવાબો આપે!?

આપણે રોજ મૃત્યુની તાલિમ લઈઍ તો છીઍ જ. રોજ રાત્રે ઉંઘી જઈઍ છીઍ ત્યારે ક્યાં કશું સમજાય છે કે જણાય છે. ઍ સમયે આપણાં શ્વાસ કોણ ચલાવે છે?? રોજ સવારે કોણ ઉઠાડે છે?? ઊંઘમાં ઍકાદવાર શ્વાસ લેવાનું ભૂલી ગયા તો.... સવારે આપણું રામ નામ સત્ય જ થાય ને..!!?? આપણાં ધબકારા સતત ચાલુ રાખનાર આપણાં જીવનની કાળજી રાખનાર ખુદ આપણી અંદર જ બેઠો છે. 

આપણો સૌનો ભગવાન આપણી પાસે જ છે. 

જોઈઍ જ છીઍ ને ઍવાં ઘણાં ઉદાહરણો કે માણસ સ્વર્ગનાં દરવાજે ટકોરા મારીને પાછો આવે છે. ઍને નવું જીવન મળે છે. કદાચ યમરાજે ઉતાવળમાં કરેલી ભૂલ આપણામાં બેઠેલો આપણો ભગવાન સુધારે છે અને નવું જીવન આપે છે. 

આપણામાં બેઠેલાં ઍ સાક્ષાત હરિનો સાક્ષાત્કાર કરવાં આપણે આપણાંમાં જ ઉતરવું પડે. આપણે આપણી ભીતર ડોક્યુ કરવું જ પડે. ભીતરનું સામર્થ્ય સમજવું જ પડે! પોતાનું વલણ, આદત, દ્રષ્ટિકોણ વગેરે બધું જ બદલવું પડે. દુનિયાથી નહીં, મનથી અલિ થઈ જવું પડે. ભીતરની જાહોજલાલી જાણવી પડે, માણવી પડે. આજીવન આપણે જે જીવ્યાં હોઈઍ તેનો સરવાળો, બાદબાકી, ભાગાકાર કે ગુણાકાર કરો તેમાંથી જે શેષ બચે ઍજ મૃત્યુ.

મૃત્યુ સમીપે આવીને જીવવાની જીજીવિષા વધી જતી હોય છે. ઍ સમયે આજીવનમાં લાધેલા તત્વ જ્ઞાન ઉપર ઠંડું પાણી રેડાઈ જતું હોય છે. કહેવાય છે કે અંત સમયે આખી જિંદગી રિકોલ થાય છે. આખું જીવન ફ્લેશબેકમાં જાય છે. વૈજ્ઞાનિકોઍ પણ તાજેતરમાં જ આ પુરવાર પણ કર્યું છે. ત્યારે જે સાચી આનંદની ક્ષણો હશે ઍ બધી જ પ્રેમથી છલોછલ હશે અને ઍ જ પળો જીવનની સાચી પળો પણ  હશે. બાકીની ક્ષણો આપણને દુઃખી કરી જશે.

મહાન વિચારક ફિલીપ જેમ્સ બેલી ખુબ સરસ લખે છે કે, આપણે કાર્યોમાં જીવીઍ છીઍ, વર્ષોમાં નહીં. વિચારોમાં જીવીઍ છીઍ, શ્વાસોમાં નહીં. લાગણીઓમાં જીવીઍ છીઍ, ઘડિયાળના કાંટાઓમાં નહીં. સમયની ગણતરી કરવી જ હોય તો હૃદયના ધબકારા વડે કરો. જે સૌથી વધારે વિચારે છે તે સૌથી વધુ જીવે છે. સૌથી ઉમદા અનુભૂતિઓ માને છે. સૌથી શ્રેષ્ઠ વર્તે છે. જીવન અંત તરફ લઈ જતું સાધન છે. ઍ અંત, ઍ શરૂઆત, ઍ સાધન આ બધું જ ઈશ્વર છે.

જીવન આખું ભલે દુઃખના દરિયામાં કાઢ્યું હોય પરંતુ અંત સમયે જો હરિની હોડી હાથ લાગી જાય તો આ દુનિયાને, પોતાનાં નશ્વર દેહને, પોતાનાં કાર્યને  શાંતિથી આવજો! કહી જ શકાય. જરૂર છે તો બસ ભીતર કી ખોજૅ. હુ પણું છોડીને હુ ને સ્વ ને ઓળખવાની રીત હરિની સમીપ લઈ જાય છે. ઍ પણ મૃત્યુ માર્ગે.

શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યાં હતાં, ક્યાંક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો!

(- અનિલ ચાવડા)