સફળતા માટે કોઈ કેમિકલ ફોમ્યર્યુલા નથી
- byDamanganga Times
- 14 June, 2025

ડો. જે.ઍમ. નાયક (નવસારી)
પૂર્વ આચાર્ય,
શાહ ઍન. ઍચ. કોમર્સ કોલેજ, વલસાડ
જીવનમાં સ્વાભાવિક રીતે દરેકને સફળ થવું હોય છે અને ઍમાં કંઈ ખોટું પણ નથી. કોઈપણ ક્ષેત્રમાં કોઈને પણ નિષ્ફળતા ગમતી નથી અને ગમવી પણ ન જોઈઍ. પરંતુ સમાજમાં કે દુનિયામાં જે માણસો સફળ થયા છે ઍમના જીવનચરિત્રનો અભ્યાસ કરશો તો માલૂમ પડશે કે સફળ વ્યકિતને પણ ક્યારેક તો નિષ્ફળતા સાંપડેલી જ હોય છે. કોઈપણ વ્યકિત ઍમ જ સફળ થતી નથી. ઍમ કહેવાય છે કે સફળતાની નીચે અનેક નિષ્ફળતાઓ ધરબાયેલી પડેલી હોય છે. તેથી જયારે નિષ્ફળતા મળે ત્યારે નિરાશ થવાને બદલે આ નિષ્ફળતાના કારણો શોધીને ઍને આધારે જ સફળતાની કેડી કંડારવી જોઈઍ. તમે જીવનમાં નિષ્ફળ થાવ તો ઍને તમારી હાર માનશો નહીં પરંતુ પડકાર ઝીલીને ફરીથી તમે લડવા માટે તૈયાર થઈ જજો. જીવનમાં ડરી ડરીને ચાલશો તો કયારેય તમને સફળતા સાંપડશે નહીં. જીવનમાં સફળ થવા માટે કોઈ ચોકકસ કેમિકલ ફોર્મ્યુલા નથી. જીવનમાં પડકારો ઝીલીને કે સમસ્યાઓ સામે લડીને જ તમે સફળતાના ફળ ચાખી શકો છો. અન્ય સફળ વ્યકિતઓમાંથી તમે પ્રેરણા મેળવીને પણ જરૂર જીવનમાં આગળ વધી શકો છો.
જીવનમાં સફળ થવા માટે ટેલન્ટની જરૂર છે ઍમ કહેવાતું હતું. હવે ઍમાં પણ ફેરફાર થયો છે. હવે ઍમ કહેવાય છે કે ફકત ટેલન્ટ નહીં મલ્ટી ટેલન્ટનો આ જમાનો છે. જીવનમાં આગળ વધવા માટે તમારામાં બર્નીગ ડિઝાયર હોવી અતિ આવશ્યક છે. જયાં સુધી તમારામાં જીતવા માટેની તીવ્ર ઈચ્છા શકિત ન હોય ત્યાં સુધી તમે જીતી શકો નહીં. ઍવી જ રીતે જયાં સુધી તમારામાં જીતવાનો જુસ્સો હશે ત્યાં સુધી તમે હારી શકશો નહી. જિંદગીમાં હંમેશાં જીત મેળવવી જ સર્વસ્વ નથી. જીતવાની ઈચ્છાનું પણ આગવું મહત્ત્વ છે. જયાં સુધી આપણે પ્રયત્નો કરવાનું છોડી નથી દેતા ત્યાં સુધી કોઈપણ હાર છેવટની હાર નથી બનતી. જીવનમાં લગાતાર નિષ્ફળતાઓ મળી રહી હોય ત્યારે પણ નિરાશ થવાનું પરવડી શકે નહીં. પચાસ ચાવીના ઝૂડામાંથી ઓગણપચાસ ચાવી તાળું ખોલવામાં નિષ્ફળ જાય ઍવું બની શકે છે. શકય છે કે છેલ્લી પચાસમી ચાવી તાળું ખોલવામાં સફળ બને. જીવનમાં પણ મિત્રો આ જ વાત લાગુ પડે છે.
વિદ્યાર્થી મિત્રો, ઍક વાત ચોકકસ ધ્યાનમાં રાખશો. જીવનમાં જો તમને સફળતા મળે તો તમને મળેલી સફળતાને કાયમી ગણી લેશો નહીં. ટોચ પર પહોંચ્યા પછી પણ ત્યાં ટકી રહેવા માટે તમારે સતત પ્રયત્નશીલ રહેવું પડે છે. તે જ રીતે તમને મળેલી નિષ્ફળતા પણ કયારેય છેવટની નથી હોતી. નિષ્ફળતા મળે તો પણ મેદાન છોડશો નહીં. જયાં સુધી તમે સફળ ન થાવ ત્યાં સુધી પ્રયત્નો કરતા જ રહો. સાચું જ કહેવાયું છે કે
સફળતા તમારો પરિચય દુનિયાને કરાવે છે નિષ્ફળતા તમને દુનિયાનો પરિચય કરાવે છે.
નિષ્ફળતામાં જ તમો દુનિયામાં લોકોને સારી રીતે ઓળખી શકો છો. કારણ કે ઍ જ લોકો કે જેઓ તમારી નિંદા કરતા હોય તેઓ જ તમને સફળતા મળે ત્યારે તમારી વાહવાહી કરતા પણ થાકતા નથી. જીવનમાં આવતી સમસ્યાઓથી ગભરાઈ જવાથી કંઈ વળવાનું નથી. મંઝિલ ઉન્હીંકો મિલતી હૈ જિન કે સપનો મેં જાન હોતી હૈ સિર્ફ પંખ સે કુછ નહીં હોતા બુલંદ હોસલો સે ઉડાન હોતી હૈ.
ઘણીવાર આપણે ટીકાથી ગભરાઈને પ્રયત્નો કરવાનું છોડી દેતા હોઈઍ છીઍ. કામ કરો તો ભૂલો થાય પણ ખરી! ભૂલો કર્યા વગર કોઈને કંઈ પ્રા થયાનું જાણમાં નથી. હા, જીવનમાં કશું જ નહી કરવાવાળાની કયારેય ભૂલો નથી થતી, ઍ જુદી વાત છે. જીવનમાં બે પ્રકારના લોકો હંમેશા નિષ્ફળ જતા હોય છે. ઍક કે જેઓ હંમેશા વિચારો જ કર્યા કરે છે, પરંતુ કંઈ પણ કરતા નથી અને બીજા ઍઓ કે જેઓ વિચાર્યા વગર જ કામ કરે છે. સફળતા અને ટીકા ઍકમેક સાથે જોડાયેલા છે.
વિક્રમ સારાભાઈઍ કહેલું જયારે તમે ભીડથી ઊંચા ઊભા રહો ત્યારે પથ્થરમારો તમારી તરફ જ આવે છે તેનો મુકાબલો કરો તો જ સફળતા મળે. આ સંજોગોમાં સફળ થવા માટે ટીકાની કેળવણી પણ લેવી પડે. અબ્રાહમ લિંકનને તેના સાથીદારે ઍકવાર કહ્નાં કે ચારે તરફ ટીકાઓ વરસી રહી છે તેમાં આપણી હોડી હંકારવી કઈ રીતે? લિંકને પ્રત્યુત્તર આપ્યો દરિયાનું પાણી ઊછળ-કૂદ કર્યા વગર રહી શકે નહીં તેમ લોકો પણ ટીકા કર્યા વગર રહી શકે નહી. દરિયાના અફાટ પાણીથી હોડીઍ ગભરાઈ જવાની જરૂર નથી.અબ્રાહમ લિંકને કહેલી આ વાત ખૂબ મહત્ત્વપૂર્ણ છે.
જીવનમાં સફળતા માટેની પૂર્વશરત છે તમને તમારી જાતમાં છલોછલ આત્મવિશ્વાસ હોવો જરૂરી છે. વૃક્ષની ડાળી પર ઍક પક્ષી બેઠેલું હોય છે. પવનને પરિણામે ઍ વૃક્ષની ડાળી હાલતી રહેતી હોય છે. પરંતુ પક્ષી ઍ હાલતી ડાળીથી કયારેય ડરતું નથી કારણ કે ઍને પવનના ડર કરતાં પણ પોતાની પાંખો પર ઍટલે કે પોતાના પર વધુ વિશ્વાસ હોય છે. તમને તમારી જાતમાં જ શ્રદ્ધા નહીં હોય તો તમો કયારેય સફળ થઈ શકો નહીં. તેથી જ તો પ્રહ્લાદ પારેખ નામના કવિઍ સરસ વાત કરી છે છે કે, ખુદનો ભરોસો જેને હોય નહી રે તેને ખુદાનો ભરોસો નકામ.
તમારામાં અપાર શકિત હોય, તમે ભણેલાગણેલા પણ છો પરંતુ જો તમારામાં સેલ્ફ કોન્ફીડન્સ નહીં હોય તો તમે સફળ થઈ શકતા નથી કારણ કે આત્મવિશ્વાસ જ સફળતાની ચાવી છે. જેઓને પોતાનામાં વિશ્વાસ છે કે આજે નહીં તો કાલે આપણી જીત થશે તેઓ જ વિજેતા બની શકે છે. તમારે જીતવું છે પણ તમે જીતી નહીં શકો ઍવો જો તમારામાં અવિશ્વાસ હોય તો તમે કયારેય જીતી શકો નહીં. તેથી જ આત્મવિશ્વાસથી ભરપૂર લોકો માટે જીત મેળવવી સહેલી બની જાય છે.જયારે આત્મવિશ્વાસના અભાવથી પીડાતી વ્યકિત નિષ્ફળતાના માર્ગ પર ગતિ કરી રહી હોય છે.
જીવનમાં સફળ થવા માટેની ઍક પૂર્વશરત તમારા હકારાત્મક અભિગમની પણ છે. પોઝીટીવ ઍટીટ્યૂડઍ જીવન જીવવાનો ઍક દષ્ટિકોણ છે. ખાલી ગ્લાસમાં પણ જેને હવા(ખ્ત્ય્)ના દર્શન થાય ઍને કહેવાય પોઝીટીવ ઍટીટ્યૂડ.! તમે નેગેટીવ વલણ ધરાવતા લોકો સાથે વાત કરશો તો તેઓ દરેક વાતમાં કઈ કઈ મુશ્કેલીઓ છે તે તમને જણાવશે. જયારે પોઝીટીવ વલણ ધરાવતા લોકો અનેક મુશ્કેલીઓ હોવાં છતાં પણ ઍમાં કઈ તક રહેલી છે તે જણાવશે.દરેક વિદ્યાર્થી માટે પોતાના જીવનનો ધ્યેય નિડ્ઢિત, વાસ્તવિક અને સ્પષ્ટ હોય ઍ ખૂબ જરૂરી છે. ઍકવાર ધ્યેય નકકી કરો પછી ઍ ધ્યેય સુધી પહોંચવા માટે તમારા તમામ પ્રયત્નો શરૂ કરી દેવા જોઈઍ. કદાચ ઍવું બને કે તમને તમારા લક્ષ્ય સુધી પહોંચવાનું મુશ્કેલ લાગે, તો તે સંજોગોમાં તમે તમારું લક્ષ્ય બદલશો નહીં પરંતુ તમારા પ્રયત્નોમાં કંઈ ખામીઓ રહી ગઈ છે તે શોધીને તેને દૂર કરવાનો પ્રયત્ન કરો. લક્ષ્ય સુધી પહોંચવા માટે તમારે બધા જ પ્રયાસો કરવા જોઈઍ. તમારા ધ્યેય સુધી પહોંચવામાં મુશ્કેલીઓ કે અવરોધો પણ આવશે તેથી હિંમત હારી જવાનું પરવડી શકે નહીં. હિંમત હારવાથી તમો તમારા લક્ષ્યને પાર કરી શકશો નહીં. મહદ્અંશે ઍવું બનતું હોય છે કે લક્ષ્યને પાર કરવા અધકચરાં કે અપૂરતા પ્રયત્નો કરીને મુશ્કેલીઓનો સામનો કર્યા વિના ઘણા લોકો લક્ષ્ય છોડી દેતા હોય છે. અને બને છે ઍવું કે લક્ષ્યની નજીક નજીક પહોંચી ગયા પછી જ નિરાશ થઈને માણસ પ્રયત્ન છોડી દેતો હોય છે. તમે જે ધ્યેય નક્કી કરી તે પૂરું કરવા સમય મર્યાદા બાંધજો, તો જ ચોકકસ દિશા મળશે. હેન્રી થોરો નામના ફિલસૂફ જણાવે છે પવનને આપણે દિશા નથી આપી શકતા પરંતુ આપણાં શઢ તેને અનુકૂળ જરૂર કરી શકીઍ. આપણે પોતે જ આપણા જીવનની દિશા નકકી કરીને આપણા પોતાનાં ભાગ્યનું નિર્માણ કરતા હોઈઍ છીઍ. લક્ષ્ય વગરનું જીવન નકામું છે. કહેવાય છે કે આ દુનિયામાં દરેક વ્યક્તિને ઍનું જીવન ઍક ચોકકસ લક્ષ્ય સાથે મળ્યું હોય છે. કેટલાક લોકો ઍવા હોય છે કે તેઓ પોતાના લક્ષ્યને સમજે છે, પિછાણે છે અને તેને પૂરું કરવા માટે પ્રયત્નશીલ રહીને સફળતા મેળવે છે. જયારે કેટલાક લોકો લક્ષથી ફંટાઈ જાય છે. વિધાર્થી મિત્રો, જીવનમાં સફળ થવા માટે દરેકને ઍકસરખા નિયમો લાગુ પાડી શકાય નહીં. દરેકને કુદરતે અલગ અલગ પ્રશ્નપત્ર આપેલું છે. ઍ પ્રશ્નના ઉત્તરો પણ દરેકના સ્વાભાવિક રીતે અલગ જ હોવાના. જીવનના કેટલાક પાઠ કોલેજોમાં પણ ભણાવાતા નથી તમારે જાતે જ શીખવા પડે છે. મારા આજના વક્તવ્યના ટાઈટલ મુજબ સફળતા માટે કોઈ ચોકકસ કેમિકલ ફોર્મ્યુલા નથી. જેમ જેમ પરિસ્થિતિ સર્જાતી જાય તેમ તેમ તે મુજબ વર્તતા શીખવું જ પડે.