વિમાન દુર્ઘટનાના મૃતકોને ભીલાડ પ્રા. શાળાઍ ભાવભીની શ્રદ્ધાંજલિ આપી
- byDamanganga Times
- 14 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૩ ઃ ન જાણ્યું જાનકી નાથે સેકન્ડ પછી શું થવાનું છે.બપોરના ૧.૩૮ મિનિટે અમદાવાદ ઍરપોર્ટ પરથી લંડન જવા ઉડાન ભરેલ ફલાઇટ નંબર ખ્જ્ઞ્-૧૭૧ બપોરના ૧.૩૮ મિનિટે અમદાવાદ, મેઘાણીનગર બી.જે. મેડિકલ કોલેજની હોસ્ટેલ સાથે ટેક ઓફથી ક્રેક થતા આંખના ઍક પલકારામાં, ૪૧ સેકન્ડમાં ભયંકર, આગના ગોટેગોટાઓમાં ૨૪૧ પ્રવાસીઓ મોતના મુખમાં ધકેલાઈ ગયા. હોસ્ટેલના વિદ્યાર્થીઓ ડોક્ટરો મળીને લગભગ ૨૬૫ લોકો કાળનો કોળિયો બની ગયા. આ દુર્ઘટનાની આ માહિતી બેસ્ટ ટીચર ઍવોર્ડ વિજેતા, વલસાડ જિલ્લા નિવૃત્ત કર્મચારી સેવા મંડળના ઉપપ્રમુખ અસરફ ચુડાસમા આંસુ સારતા, રડમસ અવાજે, ભાવવિભોર ભાષામાં આ કરુણાંતિકા, દુર્ઘટનાનું વર્ણન કરતા હતાં ત્યારે શાળાનો સમગ્ર સ્ટાફની, તમામ બાળકોની આંખો ભીની થઈ ગઈ હતી. મૃત્યુ પામેલાં તમામ આત્માની શાંતિ માટે ભીલાડ પ્રાથમિક શાળા પરિવારે બે મિનિટ મૌન પ્રાર્થના કરી હતી. ઍમનાં આત્માને પરમ કૃપાળુ પરમાત્મા ચિર શાંતિ અર્પે ઍવી અંતરની આરાધના સાથે ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.