લોક રક્ષક કેડરની પરીક્ષા માટે વધારાની બસો દોડાવાશે
- byDamanganga Times
- 13 June, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૧૨ ઃ લોક રક્ષક કેડરની લેખિત પરીક્ષા તા.૧૫/૦૬/૨૦૨૫ના રોજ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ, ગાંધીનગર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, આણંદ અને ભાવનગર શહેરના પરીક્ષા કેન્દ્રો ખાતે યોજાનાર છે. વલસાડ વિભાગના તમામ ડેપો ખાતેથી પરીક્ષાર્થીઓને તા.૧૪/૦૬/૨૦૨૫ અને ૧૫/૦૬/૨૦૨૫ દરમ્યાન પરીક્ષા કેન્દ્ર સુધી અને પરીક્ષા કેન્દ્રથી પરત લઇ જવા માટે બસ સુવિધાઓ મળી રહે તે સમયે જરૂરિયાત મુજબ ઍક્સ્ટ્રા સંચાલનનું આયોજન વલસાડ ઍસટી વિભાગ દ્વારા કરવામાં આવ્યુ છે.
વલસાડ જિલ્લાથી ૨૪૫૮, નવસારી જિલ્લાથી ૨૮૭૧ અને ડાંગ જિલ્લાથી ૨૪૨૬ પરીક્ષાર્થીઓ સુરત ખાતે પરીક્ષા આપવા જનાર છે. પરીક્ષાર્થીઓના વધુ ધસારાની શકયતાઓ જણાય તે ધ્યાને લઈ ઓનલાઈન બુકીંગ વિભાગના તમામ ડેપો/કંટ્રોલ પોઈન્ટ ઉપરાંત નિગમની વેબસાઈટ રૂરૂરૂ.સ્ન્શિં્વદ્દણૂ.જ્ઞ્ઁ ઉપરથી ઓનલાઈન ટીકીટ આપવાનું શરૂ કરવામાં આવ્યુ છે. ઍકસ્ટ્રા સંચાલનની વધુ માહિતી માટે જિલ્લા/તાલુકાના મુખ્ય બસ મથકે ડેપો મેનેજરશ્રીનો સપંર્ક કરવાથી મળી રહેશે ઍવુ ઍસટીના વિભાગીય નિયામક દ્વારા અખબારી યાદીમાં જણાવાયું છે.