જામનપાડા પેટા ચૂંટણીમાં ભાજપ સંગઠન ઊંઘતું ઝડપાયું
- byDamanganga Times
- 13 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૧૨ ઃ ખેરગામ તાલુકામાં ઍકમાત્ર જામનપાડા ગામે બે સભ્યોના અવસાન થવાથી ખાલી બેઠક માટે પેટા ચૂંટણી યોજાનાર હતી.
પેટા ચૂંટણી ની જાહેરાત થતા ગામજનોઍ નક્કી કરી ફક્ત ઍક પક્ષી ઉમેદવાર મુકવા જેથી ખેરગામ તાલુકા ભાજપ સંગઠન નિષ્ક્રિય રહેતા ઊંઘતું ઝડપાયું અને કોંગ્રેસના બે ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયા જેમાં ઍક સભ્ય અનુસૂચિત આદિજાતિ બેઠકે જયેશભાઇ કરસનભાઈ ભેંસરા અને બીજા અનુસૂચિત આદિજાતિ સ્ત્રી બેઠકે સભ્ય રીનાબેન નિલેશભાઈ ભેંસરા-બંને દુકાન ફળિયાના- ખેરગામ ચૂંટણી અધિકારી વિરલ પટેલે વિજયી જાહેર કરતા સરપંચ (વચ્ચે) કોકીલાબેન ક. પટેલે બંનેને અભિનંદન આપ્યા હતા.
હવે સરપંચ સાથે પાંચ સભ્યો અને વિપક્ષમાં ત્રણના બદલે પાંચ સભ્યોની સંખ્યા થઈ. જેના પરિણામો તાલુકામાં ભાજપ માટે ખતરાની ઘંટડી સમાન છે.