Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ખેરગામમાં વટસાવિત્રી પર્વ બે દિવસ ઉજવાયો

ખેરગામમાં વટસાવિત્રી પર્વ બે દિવસ ઉજવાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ખેરગામ, તા. ૧૨ ઃ  જેઠ શુદ ચૌદસ ના મંગળવારના દિવસે વટ સાવિત્રી વ્રત કરવા સવારના ૧૧.૩૫ ક.થી પૂનમ તિથિ બેસી જે બુધવારે બપોર ના ૧.૧૩ કલાક સુધી હોય જ્યોતિષના નિયમ પ્રમાણે વટ સાવિત્રીનું વ્રત મંગળવારે ૧૦ થી વધુ બ્રાહ્મણો દ્વારા હજારથી વધુ અખંડ સૌભાગ્યવતી નારીઓઍ સાત આઠ વડદાદાની જગ્યાઍ ઉજવણીકરી.  આખો દિવસ ઉપવાસ કરી સવારના સમયે નિત્ય કર્મ કરી સૌપ્રથમ વડ ના ઝાડ નીચે સામે ઉભા રહી હાથમાં જળ રાખી સંકલ્પ કરી. મારા પતિને દીર્ઘ આયુષ્ય મળે તથા ઘરમાં સુખ શાંતિની પ્રા થાયની પ્રાર્થના કરી ત્યારબાદ વડના વૃક્ષનું પૂજન  ચાંદલો  ચોખા ચડાવી અબીલ, કુંકુમ, ચોખા, ફૂલ અગરબત્તીનો ધૂપ આપી  બ્રાહ્મણ દ્વારા શાસ્ત્રોક્ત વડનું પૂજન કરી, વડને પાણી પાવું. સુતર લઈને વડની પ્રદક્ષિણા કરી, પોતાના પતિના દિર્ઘાયુ,ઘરમાં કુટુંબમાં સુખ-શાંતિ રહે, તેવા આશીર્વાદની યાચના કરી હતી. બુધવારે પણ મંદિર ખાતે આજુબાજુની અનેક મહિલાઓઍ બપોરે પૂનમ પૂરી થાય તે પહેલા વટ સાવિત્રી વ્રતની ઉજવણી કરી હતી.