નવસારીમાં ખાનગી શાળામાંથી સરકારી શાળામાં વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવે ઍ માટે અનુરોધ કરાયો
- byDamanganga Times
- 13 June, 2025

(દમણગંગા ટાઈમ્સ)
નવસારી, તા. ૧૨ ઃ સરકાર શિક્ષણ પ્રત્યે ખુબ જ સંવેદનશીલ છે. જેના ભાગરૂપે સરકારી શાળાઓમાં ભૌતિક સુવિધાઓ અને શિક્ષણના સ્તરમા પણ સારો વધારો કરવામાં આવી રહ્ના છે. પરંતું હજી પણ ઘણા વાલીઓ પોતાના ગામમાં સરકારી શાળા ઉપબ્ધ હોવા છતા બાળકોને ખાનગી શાળામાં મોકલવાનું પસંદ કરતા છે.
આ બાબત ધ્યાને આવતા નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાના માર્ગદર્શન હેઠળ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી ડો. અરુણકુમાર અગ્રવાલના નેતૃત્વમાં આવનાર દિવસોમા યોજાનાર શાળા પ્રવેશોત્સવ દરમિયાન ખાનગી શાળાના બાળકો સરકારી શાળામા પ્રવેશ મેળવે તે માટે ઍક ઝુંબેશ ઉપાડવામાં આવી છે.
જે અન્વયે આજરોજ નવસારી જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે અને જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતાનાના અધ્યક્ષસ્થાને સમગ્ર જિલ્લાની ૩૫ શાળાઓના ઍસઍમસીના સભ્યો, ગામના સરપંચ, ગ્રામ પંચાયતના સભ્યો, અને વાલીઓ સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજાઇ હતી.
બેઠકમાં કલેકટરના અધ્યક્ષ સ્થાનેથી વાલીઓને સરકારી શાળામા બાળકને ભણવા મુકવા માટેના ફાયદાઓ જણાવી સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે લેવામાં આવેલ વિવિધ બદલાવો અંગે જાણકારી આપી હતી. તેમણે બાળકોના ખાનગી શાળામાં અભ્યાસ પાછડના ખર્ચના કારણે પરિવાર ઉપર આવતા આર્થિક બોજ અંગે પણ જાગૃત કર્યા હતા. વધુમાં તેમણે બાળકોને સરકારી શાળામા ભણાવવાથી આર્થિક બોજથી મુક્ત થતા આ મુળીનો ઉપયોગ બાળકોના ઉચ્ચ શિક્ષણ માટે બચત કરવા સલાહ આપી હતી.
જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા દ્વારા સરકારી શાળામા શિક્ષણની ગુણવત્તા, ઇતર પ્રવૃતિઓ, મધ્યાહન ભોજન, નાસ્તા, વિવિધ સ્પર્ધાઓ,ભૌતિક સુવિધાઓ અને શિક્ષકોના વર્તન અને શૈક્ષણિક કુશળતા અંગે જાગૃત કર્યા હતા.
નોંધનિય છે કે, આવો બનાવીઍ શાળા પ્રવેશોત્સવને સમાજોત્સવઙ્ખ થીમ સાથે સમગ્ર રાજ્ય સહિત નવસારી જિલ્લામાં આગામી તા.૨૬ થી ૨૮ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ-૨૦૨૫-૨૬ યોજાનાર છે.