સરીગામ બાયપાસના માર્ગનું કામ શરૂ
- byDamanganga Times
- 13 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૧૨ ઃ સરીગામ બાયપાસનાં બન્ને માર્ગ વર્ષો બાદ નવો બનાવવાનું કામ શરૂ થતા જીઆઈડીસીનાં ભારે વાહન બાયપાસ માર્ગથી પસાર થતા સરીગામ બજાર વિસ્તાર માર્ગ પર ટ્રાફિક ભારણ ઓછું થયું છે. વાહનચાલકોઍ હાશકારો અનુભવ્યો છે.સરીગામ જીઆઈડીસીની જીવા દોરી સમાન ૧.૫ કિમી લાંબા બાયપાસ માર્ગની ત્રણ વર્ષથી બિસમાર હાલતને લઈ વાહનચાલકો તોબા પોકારી ઉઠ્યા હતા. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆત કરાયા બાદ તંત્ર દ્વારા માર્ગના નવીનીકરણની કામગીરી શરૂ કરાઈ છે. સરીગામ બાયપાસ માર્ગ સરીગામ જીઆઈડીસી સાથે મરોલી, સરઈમાણેકપુર નારગોલ મમકવાડ ધોડીપાડા સહિત અન્યો ગામોનો સરીગામ બાયપાસ ઉપયોગ રહ્ના છે. સતત ત્રણ વર્ષથી બિસમાર માર્ગનું નવીનીકરણ થતાં વાહન ચાલકો ઍ વર્ષો બાદ રાહતનો શ્વાસ લીધો છે. ગત વર્ષ આ માર્ગ માટે ગ્રાન્ટ ફળવાતા નાણાં મંત્રી કનુભાઈ દેસાઈઍ ખાતમુહૂર્ત કર્યું હતું.જોકે ધીમી ગતિઍ કામ આગળ ધપાવ્યા બાદ ઍક સિંગલ માર્ગ નવો બન્યો હતો.ત્યાર બાદ બીજા માર્ગ પર રાહ જોવાતી હતી.ચોમાસા પહેલા માર્ગ ન બનેતો હાલત કફોડી બને તેમ હતું. જોકે માર્ગ મકાન વિભાગનાં અધિકારીની દેખરેખમાં સરીગામ જીઆઇડીસી બાયપાસના બન્ને માર્ગ નવા બની જતા વાહન ચાલકોઍ રાહતનો શ્વાસ લીધો છે.