ધરમપુર તાલુકાની ૧૪ ગ્રા.પં.માં હવે ૨૦ સરપંચ અને ૧૩૧ સભ્યો મેદાનમાં
- byDamanganga Times
- 12 June, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા. ૧૧ ઃ ધરમપુર,ધરમપુર તાલુકાના કુલ ૮ ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણી અને ૫ ગ્રા.પં.ની પેટા ચૂંટણી તથા મધ્યસત્રની ૧ મળી કુલ ૧૪ ગ્રામ પંચાયતોમા આગામી તા.૨૨મી જૂનના રોજ સરપંચ પદ માટે ૨૦ અને ૧૩૨ સભ્યોની ચૂંટણી યોજાનાર છે. જયારે સામાન્ય ચૂંટણી પાનવા ગ્રામ પંચાયત માટે ફક્ત ઍક જ ઉમેદવારી નોંધાવતા સતીશ ચૌધરી બિનહરીફ થયા તો પિંડવળ ગ્રામ પંચાયત સરપંચ પદ માટે યોજાનાર પેટા ચૂંટણીમાં નોંધાવેલ ચાર ઉમેદવારો પૈકી શૌચાલય અને વધુ સંતાન તથા ફોર્મ ખેંચી લેવાથી ફક્ત ઍક જ ઉમેદવાર રહેતા ઝીણાભાઈ ઢાઢર બિનહરીફ થયા હતાં. ધરમપુર તાલુકામાં વિસ્તારમા તા. ૨૨-૬-૨૦૨૫મીના રોજ ૧૪ ગ્રામ પંચાયતની ચૂંટણી માટે મતદાન થનાર છે.
ચૂંટણીમાં ઉમેદવારી પત્ર ભરવા તેમજ ફોર્મ ચકાસણી સહીતની કાર્યવાહી પૂર્ણ થયા બાદ, બુધવારના રોજ ફોર્મ ખેંચવા માટેની કાર્યવાહી પૂર્ણ થઇ હતી,ઉપરોક્ત કાર્યવાહી પૂર્ણ થતાની સાથે જ ચૂંટણી થનારા ગામોમાં રાજકીય માહોલ ગરમાયો છે,ધરમપુર તાલુકાના બીલપુડી,ધામણી,મોટી કોસબાડી, પાનવા,પેણધા,શેરીમાળ, તામછડી, તુતરખેડ,ઉકતા ગામોમાં સામાન્ય ચૂંટણી અને આંબોસી ભવઠાણ જૂથ, મરઘમાળ, આવધા, ગડી, મુરદડ પિંડવળ ગામોમાં પેટા ચૂંટણી થનાર હતી,જયારે કાકડકુવા ગામમાં મધ્ય સત્રની ચૂંટણી યોજાનાર છે,
જે પૈકી પાનવા ગામ પંચાયતમાં ફક્ત સતીશભાઈ વેસ્તાભાઈ ચૌધરીઍજ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવી ગ્રામ પંચાયતને સમરસ બનાવી હતી. ફોર્મ ખેંચવાના દિને પિંડવળ જૂથ ગ્રામ પંચાયતમાં સરપંચ પદ માટે ચાર ઉમેદવારી નોંધાઈ હતી. પરંતુ સરપંચ પદ માટે ઉમેદવારી નોંધાવનાર અજયભાઈ લક્ષ્મણભાઈ મહુડકરના ઘરે શૌચાલય ન હોવાથી રદ થયું હતું, તો ચિંતુભાઈ ભાયલું બારીયાના ચાર સંતાન હોવાથી ફોર્મ રદ થયું હતું. જયારે જીજ્ઞેશભાઈ ઝીણાભાઈ ઢાઢરે ફોર્મ ખેંચી લેતા ફક્ત ઝીણાભાઈ તુળસ્યાભાઈ ઢાઢર જ ઉમેદવાર રહેતા બિનહરીફ થયા હતાં.