આંબાજંગલના ઘરમાં રાત્રે અચાનક આગ
- byDamanganga Times
- 12 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૧૧ ઃ કપરાડા તાલુકાના આંબાજંગલગામે આવેલા કરંજપાડા ફળીયામાં રહેતા સોમાભાઈ દગડુભાઈ રાઉતના ઘરમાં અચાનક આગ ભભૂકી ઊઠી હતી. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે, જોકે આ દુર્ઘટનામાં ઘરના બધાં ઘરવખરી સામાન બળીને ખાખ થઇ ગયા છે. આગમાં ઘરમાં રહેલા પલંગ, વસ્ત્રો, અનાજ સહિત અન્ય સામાન નાશ પામતા મોભી દહાળે ચાંપાઈ ગયા હતા. ઘરવાળાઓઍ તાત્કાલિક બહાર નીકી જાતને બચાવી લીધી હતી, જેથી જાનહાની ટળી હતી. આગ બુઝાવવા માટે ગ્રામજનો અને પડોશીઓઍ પ્રયાસ કર્યા હતા, પરંતુ તત્કાલ સહાય ન મળતાં નુકસાન ઘણું વધી ગયું હતું. ગ્રામજનો અને સ્થાનિક આગેવાનો દ્વારા વહીવટીતંત્રને અનુરોધ કરાયો છે કે, સોમાભાઈ રાઉતને તાત્કાલિક આર્થિક સહાય મળી રહે.