Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ઍસબીઆઈ દ્વારા વલસાડમાં રકતદાન શિબિર યોજાશે

ઍસબીઆઈ દ્વારા વલસાડમાં રકતદાન શિબિર યોજાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૦ ઃ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ૭૦ મી વર્ષગાંઠની ઉજવણી માટે સમગ્ર દેશમાં રક્તદાન અભિયાન ચલાવી રહી છે ત્યારે માનવ આરોગ્ય સેવા કેન્દ્ર- બ્લડ બેંક, પારડીના વિશેષ સહયોગથી ઍસબીઆઈ રીજનલ બિઝનેસ ઓફિસ, વલસાડ દ્વારા  વિશ્વ રક્તદાતા દિવસ તા.૧૪-૬-૨૦૨૫ના રોજ ગ્રાઉન્ડ ફલોર (ઍસબીઆઇ હોમ લોન સેન્ટર સામે) સાંઈ લીલા મોલ, ધરમપુર રોડ, અબ્રામા, વલસાડ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ શિબિર સ્વૈચ્છિક ભાગીદારી માટે લોકો માટે ખુલ્લો છે. બ્લડ બેંક દ્વારા રક્તદાનના ઍક વર્ષની અંદર દાતાના પરિવારના સભ્ય  માટે ઍક યુનિટ બ્લડ ફ્રીની સુવિધા આપવામાં આવી રહી છે. જાહેર જનતાને આ શિબિરનો લાભ લેવા આમંત્રણ છે.