Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ડાંગમાં ૬૬૬૮ દર્દીઓની નેત્ર તપાસણી કરાઈ

ડાંગમાં ૬૬૬૮ દર્દીઓની નેત્ર તપાસણી કરાઈ

મોતિયા બીંદુના કુલ ૧૧૪૭ જેટલા ઓપરેશન કરીને દર્દીની આંખોમા ઉજાશ ફેલાવાયો

(દમણગંગા ટાઈમ્સ)

આહવા, તા. ૧૦ ઃ વિશ્વભરમા અંધત્વ નિવારણ માટેની અનેક યોજનાઓ અને કાર્યક્રમો તેમજ ચક્ષુદાન અંગે જાગૃતિ ફેલાવવા માટે તા.૧૦મી જૂનને વિશ્વ નેત્રદાન દિવસ તરીકે ઊજવવામાં આવે છે. તેનુ મહત્વ અનેકવિધ છે, અને તે આંખના રોગો તથા અંધત્વથી પીડાતા લોકોના જીવનમા પ્રકાશ લાવવામા મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતમા રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા ચક્ષુદાન અંગે અનેકવિધ કાર્યક્રમો ચલાવવામા આવે છે.  વર્ષ ૨૦૨૩ ના ઍક આંકડા પ્રમાણે દેશમા વાર્ષિક બે લાખ જેટલા ચક્ષુઓની જરૂરિયાત સામે દેશમાંસરેરાશ સિત્તેર હજાર જેટલા ચક્ષુ દાનમા પ્રા થાય છે. જે પૈકી ૩૫ થી ૪૦ ટકા જેટલા ચક્ષુઓ જ, કીકી પ્રત્યારોપણ માટે ઉપયોગમા આવી શકે છે. ગુજરાતમા ચક્ષુદાનનુ આ પ્રમાણ ૫૦ થી ૫૫ ્રુ જેટલુ છે.  રાષ્ટ્રીય અંધત્વ અને દૃષ્ટિખામી નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત કરવામા આવતી વિવિધ પ્રવૃતિઓ સંદર્ભે ગુજરાત રાજ્યઍ નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરેલ છે. કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાન અંતર્ગત ગુજરાત રાજ્યઍ સમગ્ર દેશમા પ્રથમ સ્થાન પ્રા કરેલ છે. ગુજરાતની આ સિદ્ધિની નોંધ કેન્દ્ર સરકારના રાષ્ટ્રીય નેત્રજ્યોતિ અભિયાનમાં પણ લેવામા આવી છે. વર્ષ ૨૦૨૨ મા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે મોતિયા-અંધત્વ મુક્ત ગુજરાત ઝુંબેશનો પ્રારંભ કરાવ્યો હતો. રાજ્યમા દૃષ્ટિ ખામી નિયંત્રણ અને અંધત્વ નિવારણના અનેકવિધ જાગૃતિ કાર્યક્રમો થકી લોકોને જાગૃત કરવામા આવી રહ્નાં છે. ડાંગ જિલ્લાની વાત કરીઍ તો, રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટી ખામી નિયંત્રણ કાર્યક્રમ (ફભ્ઘ્ગ્્રૂસ્ત્) પ્રોગ્રામ અંતર્ગત અત્યાર સુધીમા જનરલ હોસ્પિટલ આહવા ખાતે કુલ ૬૬૬૮ દર્દીઓની તપાસણી કરવામા આવી છે. જેમા મોતિયા બીંદુના કુલ ૧૧૪૭ જેટલા દર્દીઓના ઓપરેશન કરીને તેમની આંખોમા ઉજાશ ફેલાવાયો છે. જનરલ હોસ્પિટલ આહવામા ૩૩૫ તેમજ ૮૧૨ જેટલાં દર્દીઓની ખાનગી હોસ્પિટલમા ઓપરેશન માટે મોકલવામા આવેલ છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટી ખામી નિયંત્રણ કાર્યક્રમ (ફભ્ઘ્ગ્્રૂસ્ત્) પહેઠળ જે દર્દીઓની તપાસણી કરવામા આવી હતી. તેઓની વિગતે સંખ્યા જોઇઍ તો, ચશ્માની ખામી વાળા વિધાર્થીઓની સંખ્યા કુલ પ૩૮ નોંધાયેલ છે. ઝામરના દર્દીઓની સંખ્યા કુલ ૯ નોંધાયેલ છે. ડાયાબીટીસના દર્દીઓની સંખ્યા ૮ નોંધાયેલ છે. બાળકોનુ અંધત્વ ધરાવતા દર્દીઓની સંખ્યા ૪, ત્રાંસી આંખ વાળા દર્દીઓની સંખ્યા ૧૩, લો વિઝન (ખુબ જ ઓછું દેખાય તેવા) વાળા દર્દીઓની સંખ્યા ૮, કિકીના રોગને કારણે અંધત્વ ધરાવતા દર્દીઓની સંખ્યા ૧પ જ્યારે બીજા અન્ય આંખના રોગોના દર્દીઓની સંખ્યા ૬૪પ૭ નોંધાયેલ છે.  ગુજરાત સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો યોજીને આંખની તપાસ તેમજ આંખના રોગોથી પીડાતા લોકોનુ અંધત્વ દુર કરવા જાગૃતિ કેમ્પ યોજી સફળ ઓપરેશન પણ કરવામા આવી રહ્નાં છે. 

આહવાની જનરલ હોસ્પિટલ દ્વારા રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટી ખામી નિયંત્રણ કાર્યક્રમ હેઠળ કેટલાક સલાહ સુચન પણ આપવામા આવેલ છે. જેનુ પાલન કરવા પણ અનુરોધ કરવામા આવેલ છે. - સુરક્ષિત અંતરથી ટીવી જુઓ ઃ સારા લાઇટિંગવાળા રૂમમા ઓછામા ઓછુ ૬ મીટરનુ અંતર રાખવુ જોઈઍ.


ˆ પ્રેક્ટિસ (૨૦-૨૦-૨૦ નિયમ) ઃ દર ૨૦ મિનિટે ૨૦ સેકેન્ડનો વિરામ લો, અને ૨૦ ફૂટ દૂર હોય ઍવી કોઈ વસ્તુ જુઓ. આ ખૂબ લાંબા સમય સુધી કોઈ વસ્તુને ખાસ કરીને ડિજિટલ ઉપકરણ તરફ જોયા પછી આંખના તાણને ટાળવા માટે છે. 

ˆ તીક્ષણ રમકડાં ઃ બાળકોના રમવાના સમયે દેખરેખ રાખો કે તેઓના રમકડાં તીક્ષણ ન હોય. જે તેમની આંખોને નુકશાન પહોંચાડી શકે.

ˆ સંતુલિત આહાર ઃ વિવિધ પ્રકારના ફળો અને શાકભાજી, અનાજ, માંસ અને માછલી સાથે બાળકોને સંતુલિત આહાર આપો જે દ્રષ્ટિના વિકાસને વધારવામા મદદ કરી શકે છે.

ˆ બહારની રમતો ઃ બહાર રમવાથી બાળકોની દ્રષ્ટિના વિકાસમા મદદ મળી શકે છે. બાળકોને બહાર વધુ સમય વિતાવવા માટે પ્રોત્સાહિત કરવું જે તેમની દ્રષ્ટિ માટે ઍક સરળ અને અસરકારક હોઈ શકે છે.

ˆ ચશ્મા ઃ આંખને શ્સ્ લાઇટથી બચાવવા માટે સનગ્લાસનો ઉપયોગ કરવો. નંબરવાળા ચશ્મા કાયમ પહેરવા.