Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ઉમરસાડી માછીવાડમાં હનુમાનજી મંદિરમાં હોમયજ્ઞ યોજાયો

ઉમરસાડી માછીવાડમાં હનુમાનજી મંદિરમાં હોમયજ્ઞ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૧૦ ઃ પારડી તાલુકાના ઉમરસાડી, માછીવાડ ગામમાં શ્રી સંકટમોચન હનુમાનજી મંદિરના પ્રાંગણમાં યજ્ઞ હોમ યોજાયો હતો શ્રી માછી મહાજનપંચ સંચાલિત મંદિર કમિટી તથા શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર મહાપ્રસાદ સેવા સમિતિ તથા મુક્તિ ફોજ ફળિયાના નેજા હેઠળ  ઉમરસાડી માછીવાડ ગામમાં શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર પરિસરમાં  વર્ષો જૂની પ્રાચીન પરંપરા મુજબ  યજ્ઞ હોમ  જગન હોમ  કરવામાં આવ્યો હતો. આ યજ્ઞ હોમની વિધિમાં યજમાન પદે  છોટુભાઈ પ્રેમજીભાઈ ટંડેલ મનહરભાઈ હરિભાઈ ટંડેલ સતીશભાઈ મકનભાઈ ટંડેલ, જયેશભાઈ ઠાકોરભાઈ ટંડેલ મિતેશભાઈ કાંતિભાઈ ટંડેલ મહેશભાઈ નગીનભાઈ દલાલ રાહુલભાઈ અર્જુનભાઈ ટંડેલ ચેતનભાઈ મંગળભાઈ ટંડેલ દિનેશભાઈ રમણભાઈ ટંડેલ યશવંતભાઈ કલ્યાણભાઈ ટંડેલ તથા  યંગ રમેશભાઈ ટંડેલ વગેરે બેઠા હતા. ગોળ મહારાજ તથા ભૂદેવોના મધ્યમ થકી શ્લોક, મંત્રોચ્ચાર, પૂજા - અર્ચના, વિવિધ પ્રકારની વિધિઓ તથા આહુતિ આપવામાં આવી હતી. યજ્ઞ હોમ વિધિ સંપન્ન બાદ ભૂદેવ મારફતે આરતી ઉતારવામાં આવી હતી. પધારેલ ગામના ભક્તજનો સંકટમોચન હનુમાનજી દર્શન કરી, આરતીનો લાભ લઈ યજ્ઞ હોમમાં નાળિયેર હોમી, પ્રસાદનો લાભ લઈ પાવન થયા હતાં. શ્રી માછી મહાજન પંચના પ્રમુખ સુરેશભાઈ ટંડેલ અન્ય હોદ્દેદારઓ, મેમ્બર્સ ભાઈઓ મંદિર કમિટીના પ્રમુખ રામચંદ્રભાઈ ટંડેલ તથા અન્ય હોદ્દેદારો શ્રી સંકટમોચન હનુમાનજી મંદિર સેવા સમિતિના સભ્યઓ, ગામના આગેવાનો, વડીલબંધુઓ, માતા  બહેનો, યુવા મિત્રો વગેરે ઉપસ્થિત રહ્ના હતા. આ કાર્યક્રમ મુક્તિ ફોજ ફળિયાના નેજા હેઠળ નિર્વિગ્ન પાર પડ્યો હતો. ઉમરસાડી માછીવાડ ગામ કિલ્લા પારડીના અરબી સમુદ્ર કિનારે વસેલું છે. ઍ ગામ વહાણવતાનો વ્યવસાય સાથે સંકળાયેલું છે. આ ગામના માછીમાર ભાઈઓ મચ્છીમારના વ્યવસાય કરવા માટે સૌરાષ્ટ્રના બંદરો પર જતા હતા. જેમાં ઓખા, દ્વારિકા, નવાબંદર, કાઠીયાવાડ, વેરાવળ તથા મુંબઈ જેવા વિવિધ સ્થળોનો સમાવેશ થાય છે. પોતાના કુટુંબનું ભરણ પોષણ અથવા રોજી રોટી માટે દરિયા ખેડવા નીકળી પડતા હતા. આ ધંધા અર્થે જતાં સાગર ખેડુઓના રક્ષણ તથા સહી સલામત વતન પાછા ફરે ઍ માટે વર્ષો જુની પ્રાચીન પરંપરા મુજબ યજ્ઞ હોમ કરવાનો રિવાજ ચાલી આવેલો છે.વિદેશથી પરત આવ્યાં બાદ ગામ આખું નિરોગી રહે, સુખ, સમૃદ્ધિ બની રહે તથા ગામમાં કોઈ કુદરતી હોનારત ન થાય ઍવા આશય આ યજ્ઞ હોમ કરવા પાછળ છુપાયેલા હોય ઍમ લાગે છે.