વલસાડની ઝેનિથ ડોક્ટર હાઉસમાં યોગ શિબિર યોજાઈ
- byDamanganga Times
- 10 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૦૯ ઃ સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત વલસાડ માં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગ શિબિર યોજાયો હતો.
યોગ ટ્રેનર દીપાબેન દ્વારા વલસાડ ની જાણીતી હોસ્પિટલ ઝેનિથ ડોક્ટર હાઉસના ડો.કુરેશી ના માર્ગદર્શનમાં હોસ્પિટલમાં કામ કરતા હેલ્થ વર્કરો માટે સ્પેશિયલ યોગ સત્ર રાખવામાં આવ્યું હતું. જેમાં આસન પ્રાણાયામ ધ્યાન, ઍક્યુપ્રેશર, કલર થેરેપી અને યોગાહાર વિષયમાં જાણકારી આપવામાં આવી હતી, સાથે જ જેનીથ ડોક્ટર હાઉસ તરફથી દરેક સાધકોને કેલ્શિયમ, આયર્ન, વિટામીન ઈ ની દવાઓ આપવામાં આવી હતી. આજના કાર્યક્રમમાંમુખ્ય આયોજક દિપાબેન સાથે યોગ ટ્રેનર શીતલબેન ભાનુશાલી, અને ભક્તિબેન ટંડેલે સેવા આપી હતી. ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડીનેટર પ્રીતિબેન પાંડે દ્વારા યોગ શિબિરનું સંચાલન કરવામાં આવ્યુ હતું.