Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

વશીયરથી ચણવાઈ મુકુંદ હાઇવે સુધી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા વાહન ચાલકો પરેશાન

વશીયરથી ચણવાઈ મુકુંદ હાઇવે સુધી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા વાહન ચાલકો પરેશાન

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૯ ઃ  વલસાડ તાલુકાના વશિયર   પારનેરા પારડી  થી ચણવાઈ મુકુંદ હાઈવે સુધી રોડની વચ્ચે લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો  છેલ્લા કેટલાક મહિનાઓથી બંધ હાલતમાં છે. આ રોડ પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો બંધ હોવાથી વાહન ચાલકો અને રાહદારીઓ પરેશાની વેઠી થયા છે. અતુલ રોડ પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઇટો તાત્કાલિક ચાલુ કરે ઍવી વાહન ચાલકોની માંગણી છે.

 વલસાડ તાલુકાના વશીયર પારનેરા પારડી થી  ચણવાઈ મુકુંદ હાઇવે સુધી  આવેલા અતુલ રોડ પર રાત દિવસ વાહનો ધમધમતા રહે છે. 

તેમજ આ રોડ પર  ગામડાઓ હોવાથી વાહનોની અવરજવર પણ વધી રહી છે. ક્યારે વલસાડના વશીયર થી  પારનેરા પારડી ચણવાઈ   મુકુંદ હાઇવે ઓવરબ્રિજ સુધી  વાહન ચાલકો અને રાહદારીઓને  કોઈ તકલીફ ન પડે તે માટે રસ્તાની વચ્ચે સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવી છે પરંતુ આ સ્ટ્રીટ લાઈટો માત્ર શોભાના ગાંઠિયા સમાન  સાબિત થઈ રહ્ના છે. અતુલ રોડ પર લગાવવામાં આવેલી સ્ટ્રીટ લાઈટો છેલ્લા કેટલાક મહિનાથી બંધ હાલતમાં હોવા તેમ છતાં વિસ્તારના  સરપંચો કે અન્ય લોકોઍ તેને ચાલુ કરવાની  તસ્દી નથી . વશીયર, પારનેરા પારડી પારનેરા   ચણવાઇ મુકુંદ હાઇવે ઓવરબ્રિજ સુધી ના રસ્તા પર  ગાય વાછરડા ભેંસ જેવા પશુઓની અવરજવર કે રસ્તાની વચ્ચેવચ બેસી  જતા હોય છે જોકે રાત્રે સ્ટ્રીટ લાઈટ ચાલુ ન હોવાથી  વાહન ચાલકો આ મૂંગા પશુઓ સાથે અકસ્માત થવા નો ભય સતાવી રહ્ના છે. વશિયરથી પારનેરા પારડી પારવેરા મુકુંદ હાઇવે ઓવરબ્રિજ સુધી ની બંધ સ્ટ્રીટ લાઇટો  વલસાડ જિલ્લા કલેકટર ચાલુ કરાવશે કે પછી આમ જ વાહન ચાલકો અને રાહદારીઓઍ અંધારામાં અવર-જવર કરવી પડશે.