Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

હીખેડગામનો ભોવાડો ઃ આદિવાસી સંસ્કૃતિનું જીવંત દર્પણ

હીખેડગામનો ભોવાડો ઃ આદિવાસી સંસ્કૃતિનું જીવંત દર્પણ

 (દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ) 

નાનાપોઢા, તા. ૦૮ ઃ કપરાડા તાલુકાનું દહીખેડ ગામ ઋતુપ્રેરિત લોકપરંપરાઓ માટે જાણીતું છે. અહીં વિવિધ તહેવારોમાં મોટો ઉત્સાહ જોવા મળે છે, જેમાં ભોવાડાની પરંપરા ખાસ મહત્વ ધરાવે છે. ભોવાડો માત્ર ઍક તહેવાર નહીં, પણ આદિવાસી સમાજની ધાર્મિક, સાંસ્કૃતિક અને સામૂહિક ઓળખનો પ્રતીક છે. દર વર્ષે વિશિષ્ટ ઋતુમાં દહીખેડમાં ભોવાડો ઉજવવામાં આવે છે, જે તદ્દન લોકધર્મ અને પરંપરાગત માન્યતાઓ સાથે જોડાયેલો છે.

ભોવાડા માટે આખું ગામ સજજ થવા માંડે છે. ભોવાડાની શરૂઆત પરંપરાગત વિધિઓથી થાય છે. ગામના વડીલો અને ભગતો દ્વારા દેવી-દેવતાઓનું આહ્વાન કરવામાં આવે છે. ભોવાડાના મંચ પર સ્થાપિત દેવસ્થાનોમાં કુદરતી તત્વો – વૃક્ષ, પથ્થર, માટી વગેરેને પ્રતિકરૂપ રૂપે સ્થાપિત કરવામાં આવે છે. આદિવાસી સમાજમાં માન્યતા છે કે પ્રકૃતિમાં દેવત્વ વસે છે, અને તેથી ભૂત, ભવિષ્ય અને વર્તમાનના સંકલનરૂપે દેવતાઓ ષ્ટશ્રર્ફૂસ્ન્ફૂફુ કરવા માટે ભક્તિભાવથી પૂજા કરવામાં આવે છે.

પૂજાવિધિ પૂર્ણ થયા પછી, ભોવાડાની રાત ઝાકઝમાળથી ભરાય છે. યજ્ઞશિબિર અને દેવસ્થાન પાસે લોકમેળો ભરાય છે. શરુ થાય છે મોહરાનો નૃત્ય – જે ભોવાડાની સૌથી વિશિષ્ટ અને રોમાંચક પરંપરા છે. મોહરા ઍ મખોટા છે, જે ઐતિહાસિક રીતે વાનરો, શેર, દેવતા કે ભૂતનાં રૂપમાં બનાવવામાં આવતા હતા. મોહરા પહેરેલા નૃત્યકારો જુદી જુદી ભૂમિકાઓમાં મંચ પર આવે છે અને ઢોલ, નગરા અને તુરીના સૂર પર ઘુમતા રહે છે.

આ નૃત્યમાં શારીરિક શક્તિ, ભક્તિભાવ અને નાટ્યકલાનું અદ્ભુત સમન્વય જોવા મળે છે. મોહરાની અંદર રહેલા વ્યક્તિને ઍવું માનવામાં આવે છે કે તે સમયે તે દેવાત્માની પ્રેરણાથી ભરાય છે અને તેણે કરેલા નૃત્ય દ્વારા દેવતા પ્રસન્ન થાય છે.

ભોવાડામાં નૃત્ય ઉપરાંત લોકગીતો અને લોકસંગીત પણ મહત્વ ધરાવે છે. સ્ત્રીઓ તાળીઓ સાથે ગીતો ગાય છે, જે પૌરાણિક કથાઓ, જીવન સંઘર્ષ અને ધરતી માતાની આરાધનાને આવરે છે. લોકગીતોની આ ભાષા ખૂંપેલી અને ઢોળાઈથી ભરેલી હોય છે. નાના બાળકો પણ નૃત્ય અને સંગીતના તાળમેલમાં ભાગ લે છે, જેનાથી આ સંસ્કૃતિની વારસાગત વહેંચણી સુનિડ્ઢિત થાય છે.

ભોવાડો દહીખેડ ગામ માટે માત્ર ધાર્મિક ઉત્સવ નથી રહેતો. ઍ ઍક આવકાર્ય મંચ બની રહે છે, જ્યાં આખું ગામ ઍકત્રીત થાય છે. ગામના દરેક વર્ગના લોકો ઉત્સાહપૂર્વક ભેગા થાય છે – મહિલાઓ રસોઈ બનાવે છે, યુવાનો વ્યવસ્થા કરે છે, વડીલો માર્ગદર્શન આપે છે. આવા તહેવારોની અસર ગામના સામૂહિક જીવન પર સકારાત્મક પડે છે. ભોવાડો સમાજના જુદા જુદા વર્ગો વચ્ચે સંબંધો મજબૂત કરે છે અને સહયોગ ભાવનાને પ્રોત્સાહન આપે છે.

ભલે આજનું યુગ ટેક્નોલોજી અને આધુનિકતાથી છલકાય છે, પરંતુ દહીખેડ જેવા ગામોમાં ભોવાડા જેવી પરંપરાઓ આજે પણ યથાવત્ જીવંત છે. ઍ દર્શાવે છે કે આદિવાસી સમાજ પોતાની મૂળ ઓળખ વિશે ચોક્કસ છે અને નવા યુગમાં પણ પોતાના મૂળ સાથે જોડાયેલા રહેવા માટે પ્રતિબદ્ધ છે. દહીખેડનો ભોવાડો ઍ માત્ર ઍક લોકઉત્સવ નહીં પણ જીવનશૈલી, ધરતી પ્રત્યેનો શ્રદ્ધાભાવ અને સમાજના સંસ્કૃતિક સૂત્રોની ઝાંખી છે. આદિવાસી સમાજની આ અનોખી પરંપરા આજના યુગમાં પણ સૌને સાંસ્કૃતિક ગુણવત્તા, સંગઠનશક્તિ અને આધ્યાત્મિકતા તરફ દોરી રહી છે. ભોવાડો ઍ જીવંત વારસો છે, જેનાં કણકણમાં આદિવાસી માનવીની ધબકતી સંસ્કૃતિ રહેલી છે.