Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ઉમરગામમાં રક્તદાન શિબિર યોજાઈ

ઉમરગામમાં રક્તદાન શિબિર યોજાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૦૯ ઃ ઉમરગામ તાલુકા માહયાવંશી સેવા ટ્રસ્ટ ( રજી.નં. ઍ-૯૮૨-વલસાડ) દ્વારા પ્રાથમિક શાળા, પળગામ ,તા.ઉમરગામ ખાતે આજરોજ સાતમી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.માનવસેવાના ઍક ઉત્તમ પર્યાય તરીકે યોજાયેલી આજની રક્તદાન શિબિરમાં પળગામ ગામનાં નવયુવાનો તથા આસપાસનાં ગામોમાંથી પધારેલા રકતવીરોઍ ઉત્સાહભેર ભાગ લઈ કુલ ૫૦ બોટલ જેટલું રક્ત ભેગું કરવામાં સફળ રહ્નાં. વલસાડ રક્તદાન કેન્દ્રના સહયોગથી યોજાયેલી આજની શિબિરમાં મેડિકલ સ્ટાફ દ્વારા સુંદર સેવા પૂરી પાડવામાં આવી. આજની રક્તદાન શિબિરમાં રકતવીરોને જુસ્સો પૂરો પાડવા ટ્રસ્ટનાં આજીવન સભાસદો નવિન મિસ્ત્રી, સુરેન્દ્ર સુરતી ઉપરાંત નવસારીથી સતિષ પટેલ, ઉદવાડાથી અરુણ વજેરીયા, હસમુખ ઉદવાડિયા, અશોક શંકરભાઈ જેવાં માહ્નાવંશી સમાજનાં આગેવાનોઍ હાજરી આપી હતી. 

આજની રક્તદાન શિબિરને સફળ બનાવવા પળગામના નવયુવાનો તારાચંદ માહ્નાવંશી, પ્રકાશ માહ્નાવંશી તથા આગેવાનો ચંદ્રકાંત કાલેકર, મનોજ કાઠેકર, ચિત્તરંજન કાઠેકર ઉપરાંત ટ્રસ્ટના ઉપપ્રમુખ ભરત અઠવાલિયા, મહામંત્રી યોગેશ મારકર, ખજાનચી ઉમેશ મિસ્ત્રી, મંત્રી તથા શિબિરના કન્વિનર પંકજ પૂનેટકર, સહમંત્રી રાકેશ હજારે, સમિતિના સભાસદો રૂપેશ માહ્નાવંશી,કિરણ દહેરીકર,નિલેશ મીઠાં, જીગ્નેશ માહ્નાવંશી જેમણે ખડેપગે સેવા આપી આજની રક્તદાન શિબિરને સફળતા તરફ દોરી ગયાં હતાં.