અરનાલામાં ધૂળની ડમરીથી પરેશાની
- byDamanganga Times
- 09 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નાનાપોîઢા, તા. ૦૮ ઃ પારડી તાલુકાના અરનાલા વિસ્તારમાં આવેલ મરી માતા ચાર રસ્તા પાસે ક્વૉરી અને ડામર પ્લાન સ્થાનિક લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યું છે. સતત ધૂળ ઊડતાં વાતાવરણમાં ભારે પ્રદૂષણ ફેલાઈ રહ્નાં છે અને તેના કારણે વાહન ચાલકો તેમજ રાહદારીઓના આરોગ્ય પર સીધો અસર થઈ રહી છે.
પ્રત્યક્ષદર્શીઓ મુજબ, દરેક સમયે ધૂળના ગોટેગોટા હવામાં ફરતાં રહે છે, જેના કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે. વેપારીઓઍ જણાવ્યું કે સતત ધૂળ પડતાં દુકાનોમાં માલ ખરાબ થવાની અને ગ્રાહકો ન આવવાની તકલીફ ઉભી થઈ છે. દરરોજ હજારો લોકો આ રસ્તા પરથી પસાર થાય છે, તેથી રાહદારીનું જીવન પણ જોખમમાં મુકાયું છે. સ્થાનિક લોકોઍ તાત્કાલિક ધૂળ નિયંત્રણ માટે પગલાં લેવાની માગ ઉઠાવી છે. ફરિયાદ છે કે સંબંધિત તંત્રે યોગ્ય પગલાં નહિ લે તો આંદોલનના માર્ગે જવાનું વિચારવું પડી શકે છે.