ગણદેવી તાલુકામાં વિશ્વ પર્યાવરણ દિને ૯૦૦ રોપાનું વાવેતર- વિતરણ કરાયું
- byDamanganga Times
- 09 June, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
ગણદેવી, તા. ૦૮ ઃ સામાજીક વનીકરણ વિભાગ નવસારીની ગણદેવી રેંજ દ્વારા ગણદેવી સુગર ફેકટરી પરીસર,સોનવાડી,પોંસરી અને ખારેલ ગામમાં ગુરુવારે વિશ્વ પર્યાવરણ દિવસ પ્રસંગે ૯૦૦ છોડવાઓ નું વાવેતર વિતરણ કરાયું હતું.જેને કારણે ગણદેવી તાલુકો વધુ હરિયાળો બનશે. ગણદેવી સુગર ફેક્ટરીના ડિરેક્ટર્સ અને સભ્યો ની ઉપસ્થિતિમાં સુગર ફેક્ટરી પરિસરમાં ૬૫૦ રોપાનું વિતરણ અને વાવેતર કરવામાં આવ્યું હતું.તેમજ ગણદેવીના સોનવાડી ગામે ૧૦૦ રોપા,પોંસરી પી ઍચ સી વિસ્તારમાં ૫૦ રોપા અને ખારેલ ખેડૂત સહકારી સંઘમાં ૧૦૦ રોપા મળી કુલ ૯૦૦ રોપાઓનું વાવેતર વિતરણ કરવામાં આવ્યું હતું.જેમાં દેશી લીમડો, દેશી વડ, પીપળો, ગુલમહોર, બદામ, રેઇન ટ્રી, નાળિયેરી,આસોપાલવ મુખ્ય હતા.જેને કારણે ગણદેવી તાલુકો વધુ હરિયાળા બનશે. કાર્યક્રમમાં સહકારી સંસ્થાના અગ્રણીઓ, પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિક નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા.ગણદેવી રેંજ ફોરેસ્ટ ઓફિસર છાયા પટેલની ઉપસ્થિતિમાં મહાનુભાવોઍ વૃક્ષારોપણ અને તેના જતનની પ્રતિજ્ઞા લીધી હતી.કે હું હંમેશા પર્યાવરણ ની રક્ષા કરીશ અને તેનું ધ્યાન રાખીશ.