Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ટુકવાડાના લેખક અને વકતા અંકિત દેસાઈનું વકતવ્ય યોજાશે

ટુકવાડાના લેખક અને વકતા અંકિત દેસાઈનું વકતવ્ય યોજાશે

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૦૬ ઃ મૂળ વાપીના ટુકવાડાના લેખક તેમજ વક્તા અંકિત દેસાઈ અમદાવાદ ખાતે આવેલ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપિત સંસ્થા ‘નવજીવન’માં ૮ જૂને સાંજે છ વાગ્યે બારડોલી સત્યાગ્રહ પર વક્તવ્ય આપશે. હાલમાં સરદાર પટેલની દોઢસોમી જયંતિ ઉજવાઈ રહી છે. તેમજ સરદાર પટેલ જેના પ્રમુખ હતા ઍવા ‘નવજીવન ટ્રસ્ટ’ના ભવનના ૭૫ વર્ષ થયા છે. ત્યારે આખો જૂન મહિનો ગુજરાતના ખ્યાતનામ વક્તાઓ સરદાર પટેલના વિવિધ સત્યાગ્રહો વિશે વક્તવ્યો આપશે.

જે અંતર્ગત અંકિત દેસાઈ દક્ષિણ ગુજરાતના હોઈ, તેઓ બારડોલી સત્યાગ્રહમાં સરદારે કરેલી કમાલ વિશે દોઢ કલાક વક્તવ્ય આપશે.

આ શ્રેણીમાં લેખક ઉર્વીશ કોઠારી તેમજ નિવૃત્ત આઈ.ઍ.ઍસ વસંત ગઢવી જેવા અભ્યાસુ વક્તાઓ સરદારના ખેડા અને બોરસદ સત્યાગ્રહ વિશે પણ બોલશે.

ઉલ્લેખનીય છે કે નવજીવન ટ્રસ્ટ ખાતે યોજાતા વિવિધ સત્રો રાજ્યભરમાં ઍક આગવી ઓળખ ધરાવે છે. 

ઍ નવજીવનને આંગણે અંકિત દેસાઈ બારડોલી સત્યાગ્રહ વિશે બોલશે ઍ અત્યંત ગૌરવની વાત છે. નવજીવન ટ્રસ્ટ દ્વારા જ વર્ષ ૨૦૧૭માં અંકિત દેસાઈનું ‘ટ્રેન ટેલ્સ’ પુસ્તક પણ પ્રકાશિત કરવામાં આવ્યું હતું.