બારોલીયાની કિશોરીઍ નાપાસ થતાં આત્મહત્યા કરી
- byDamanganga Times
- 06 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ધરમપુર, તા.૦૫ ઃ બારોલીયા ગામના ખોરી ફળીયા ખાતે રહેતી અંકિતા જગદીશ ધનગરીયા ઉ.૧૬ ધો.૧૦ બોર્ડની પરીક્ષામાં નાપાસ થતાં આઘાત લાગી આવતાં પોતાનાંજ ઘરે રુમમાં દુપટ્ટા વડે લાકડાનાં દાંડા સાથે ઍક છેડો બાંધી બીજો છેડો ગળામાં નાંખી ફાંસો લઇ જીવન ટુંકાવી લેતા પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી હતી. ત્યારબાદ ૧૦૮ ઍમ્બ્યુલન્સ વાનમાં ધરમપુરની સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવતાં સારવાર મળે તે પહેલાં તબીબે અંકિતા પટેલને મૃત જાહેર કરતાં જે અંગે ધરમપુર પોલીસ મથકે જગદીશ કનુભાઈ ધનગરીયાઍ જાણ કરતા વધુ તપાસ પોલીસે હાથ ધરી હતી.