Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

કલગામ હનુમાન મંદિર તરફ જતા માર્ગ પર નાળામાં ભંગાણ

કલગામ હનુમાન મંદિર તરફ જતા માર્ગ પર નાળામાં ભંગાણ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૦૫ ઃ ઉમરગામ તાલુકાના પ્રસિદ્ધ શ્રી રાયણીવાલા હનુમાન મંદિર તરફ જતા માર્ગ પર તળાવ નજીક મુખ્ય માર્ગ ઉપર નાળુ તૂટી જતા મંદિરે આવતા ભક્તોના માથે જોખમ તોડાતું નજર પડી રહ્નાં છે. શ્રી રાયણીવાલા હનુમાન મંદિરને અડીને આવેલા તળાવમાં હાલ માટી ખોદકામ થઈ રહ્નાં છે. જ્યાં રોજ ભારે માલ વાહક વાહનોની અવર-જવર થતી જોવા મળે છે. આગામી ચોમાસામાં મુખ્ય માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો અકસ્માતનો ભોગ ન બને તે માટે જવાબદાર તંત્રના અધિકારીઓ વહેલી તકે તૂટેલા નાળાના મરામતની કામગીરી હાથ ધરે ઍવી મંદિર ટ્રસ્ટના સભ્ય દ્વારા માંગ કરાઈ હતી. તળાવમાં માટી ખોદકામની કામગીરીમાં પણ વેઠ  ઉતારવામાં આવતી હોવાનું મંદિરના ટ્રસ્ટીઍ જણાવ્યું હતું.