ઉમરગામમાં વસતા બિહારના વતનીઅોની મુલાકાત લીધી
- byDamanganga Times
- 06 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૦૫ ઃ બિહારના રાજ્યસભા સાંસદ અને બિહાર ભાજપના ઉપાધ્યક્ષ અને હાલ ગુજરાતમાં ભાજપ પ્રવાસી રહેવાસીના પ્રભારી ડો. ધર્મશીલાબેન ગુાઍ ઉમરગામ પાલિકા વિસ્તારના કોર્પોરેટર સુરેશભાઈ યાદવની ઓફિસ ખાતે ઉમરગામમાં રહેતા બિહાર રાજ્યના વતનીઓ સાથે મુલાકાત કરી હતી. ઍમની સાથે વલસાડ જિલ્લાના સંયોજક ઍન. કે. સિંગ, સહ સંયોજક નીરજ સિંગ ઉપસ્થિત રહ્નાં હતાં. ઉમરગામ ક્ષેત્રના ઍસ.ડી. સિંગ અને ઍમની ટીમ જોડાઈ હતી. બિહારમાં આગામી સમયમા યોજાનારી વિધાનસભાની ચુંટણીમા બિહારવાસીઓ બિહારમાં મત આપવા જોશમાં આવે અને ઍનડીઍની સરકાર મોટી બહુમતથી જીતે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો. ગુજરાતમાં બિહારવાસીઓની સંખ્યા વધુ હોવાથી ભાજપ માટે ઍમનો પ્રચાર પ્રસાર મહત્વનો માનવામાં રહ્ના છે.