Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

નારગોલ ગામના દુકાનદારની અનોખી પહેલ દુકાનમાં તંબાકુ, ગુટકા અને સિગારેટ નહીં વેચવાનો સંકલ્પ આજે પણ મક્કમ

નારગોલ ગામના દુકાનદારની અનોખી પહેલ દુકાનમાં તંબાકુ, ગુટકા અને સિગારેટ નહીં વેચવાનો સંકલ્પ આજે પણ મક્કમ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

ઉમરગામ, તા. ૦૫ ઃ નારગોલ ગામે પાંચ વર્ષ પહેલા શરૂ કરેલી દુકાનમાં ક્યારે તંબાકુ, ગુટકા અને સિગારેટ નહીં વેચવાનો સંકલ્પ આજે પણ મક્કમ રાખી રોજિંદા ૧૦૦૦ થી વધુ નુકશાન વેઠી ગુટકા, સિગરેટ, તંબાકુ ખરીદી માટે આવતા ગ્રાહકોને પાછા મોકલે છે. 

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન ષ્ણ્બ્ દ્વારા ૧૯૮૭ માં ષ્ંશ્વશ્રફુ ફં વ્ંર્ણુણૂણૂં ર્ઝ઼ીક્ક તરીકે ૩૧મી મેના દિને ઉજવણી કરવાનું નક્કી કર્યું હતું. તેના ભાગરૂપે તાજેતરમાં વિશ્વભરમાં હાલમાં આ દિવસ અને અઠવાડિયાની ઉજવણી ચાલી રહી છે. ત્યારે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ઍક ખેડૂત પરિવારે નારગોલ, દમણ કોસ્ટલ હાઇવે ટચ દુકાન બનાવી પાંચ વર્ષ પહેલા શરૂ કરેલી આઈસ્ક્રીમ અને ઠંડા પીણા જનરલ સ્ટોરની અંદર ક્યારે બીડી, સિગરેટ, તંબાકુ, ગુટકા નહીં વેચવાનો સંકલ્પ કર્યો હતો. જે આજે પણ મક્કમતાથી આ પરિવાર સંકલ્પનું પાલન કરી બીડી, સિગરેટ, તંબાકુ, ગુટકાનું વેચાણ ન કરી રોજિંદા ૧૦૦૦થી વધુ ખોટ કરી રહ્નાં છે. દુકાનદાર પ્રવીણભાઈ ગોપાલભાઈ પટેલના જણાવ્યા મુજબ તેમની દુકાન કોસ્ટલ હાઇવે પર આવેલી હોવાથી અનેક વાહન ચાલકો, ગામની અંદર આવતા પ્રવાસીઓ ગ્રાહક તરીકે આવતા હોય છે જેમાં અનેક લોકો બીડી, સિગરેટ, તંબાકુ, ગુટકા ખરીદી માટે આવતા હોય છે. જેથી તેમણે તેમની દુકાનમાં બીડી, સિગરેટ, તંબાકુ, ગુટકાનું વેચાણ કરવામાં આવતું નથી તેવું સૂચન બોર્ડ લગાવ્યું છે. તેમના જણાવ્યા મુજબ તેઓ નિવૃત્ત સરકારી કર્મચારી છે. નિવૃત્તિ બાદ પ્રવૃત્તિમાં રહેવા માટે શરૂ કરેલી દુકાન આજે તેમના પરિવાર માટે આવકનો મોટો સ્ત્રોત બની ચુકી છે. તેમની દુકાનમાં આઈસ્ક્રીમ, ઠંડા પીણા, પાણીની બોટલ સહિત અન્ય ખાદ્ય પદાર્થ સ્વદેશી અને સારી બ્રાન્ડેડ કંપનીની રાખે છે. નારગોલ ગામમાં આવતા પ્રવાસીઓ માટે તેમજ ગામના અને આજુબાજુ ગામના લોકો માટે આઈસ્ક્રીમ અને કોલ્ડ્રીંક્સ ખરીદી માટે તેમની દુકાન ઉત્તમ સ્થાન સાબિત થઈ છે. મોટી સંખ્યામાં આવતા ગ્રાહકો પૈકી અનેક ગ્રાહકો બીડી, સિગરેટ, તંબાકુ, ગુટકાની માંગ કરે છે. છતાં તેઓ આજે પણ દુકાનમાં ઍવી સામગ્રીનું વેચાણ ટાળે છે. પ્રવીણભાઈ પટેલના પરિવારનું માનવું છે કે, બીડી, સિગરેટ, તંબાકુ, ગુટકાનું સેવન કરવાથી કેન્સર જેવી ભયાનક બીમારી થતી હોય છે આજના યુવા ધનને નુકસાન નહીં પહોંચે તેવી તકેદારીના ભાગરૂપે તેમના પરિવારની પણ નૈતિક જવાબદારી સમજી શરૂઆતથી આ સંકલ્પ તેમના પુત્ર ક્રેનેસકુમાર પટેલના સૂચનથી શરૂ કર્યો હતો. સાચા રાષ્ટ્રવાદ અને જાહેર આરોગ્ય અને તંદુરસ્તીનું ચિંતન સાથે પોતાની દુકાનમાં ક્યારે બીડી, સિગરેટ, તંબાકુ, ગુટકા ન વેચવાનો સંકલ્પ કરી તેનો પાલન કરી રહેલ આ પરિવાર બિરદાવા યોગ્ય છે. સ્થાનિક પંચાયત તરફથી તેમના આ સંકલ્પની નોંધ લેવામાં આવી છે.