Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

છીરીની જ્ઞાનગંગા સ્કુલમાં વૃક્ષારોપણ કરાયું

છીરીની જ્ઞાનગંગા સ્કુલમાં વૃક્ષારોપણ કરાયું

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

 વાપી, તા. ૦૫ ઃ વાપી છીરી ખાતે આવેલ જ્ઞાનગંગા સ્કૂલમાં પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસના ઉપલક્ષ આજરોજ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં  ધોરણ ૫ થી ધોરણ ૧૨ સુધીના ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓઍ ભાગ લઇ શાળા પરિસરમાં ૧૪૦ જેટલા વૃક્ષઓનું વાવેતર કર્યું હતું.  આજરોજ વિદ્યાર્થીઓઍ શાળાના ટ્રસ્ટી સંદીપ આર પટેલના દિશાનિર્દેશ અનુસાર. શાળાના આચાર્ય સુનિલ નાયર, ઇન્ચાર્જ દિવાકર સર, ઇન્ચાર્જ ઝરા મેડમ, ઇન્ચાર્જ માર્ટિના મેડમ ના માર્ગદર્શન હેઠળ પોતે વૃક્ષારોપણ કર્યું હતું. આ અવસરે વિદ્યાર્થીઓમાં  વૃક્ષારોપણ કરવાથી ક્યાં ક્યાં ફાયદા થાય તે અંગેની માહિતી મળી રહે તેમજ વૃક્ષ કેવી રીતે રોપવામાં આવે છે તે વિદ્યાર્થીઓમાં આવડત કેળવાય  તે ઉદ્દેશ્યથી શાળાના શિક્ષકોની ઉપસ્થિતિમાં શાળા પરિસર બાળકો હસ્તે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું હતું. આ વૃક્ષારોપણ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થી ઓને શાળાની સાથે સાથે ઘરે અને તેમના પાડોશી ઍ પણ વૃક્ષ વાવવું જોઈઍ ઍ રીતે સમજાવવામાં આવ્યું હતું તેમજ વૃક્ષથી થતા ફાયદા અંગે શાળાના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી.  આ અવસરે શાળાન ટ્રસ્ટી સંદીપભાઈ પટેલ, શાળાના આચાર્ય સુનિલ નાયર, ઇન્ચાર્જ દિવાકર સર, ઇન્ચાર્જ ઝારા રૂપવાળા મેડમ માર્ટિના મેડમે  વિદ્યાર્થીઓને દર વર્ષે ૫મી જૂન ના રોજ ઍક વૃક્ષ આપણે રોપવું જ જોઈઍ ઍ બાબતે સમજાવવામાં આવ્યું હતું અને હાલમાં પૃથ્વી ઉપર વૃક્ષોની થઈ રહેલી ઓછી સંખ્યા અને વાતાવરણમાં આવી રહેલા પલટાને, ગરમીને તેમજ ગ્લોબીનગ ર્વોમિંગને  અંકુશમાં અથવા સંતુલનમાં રાખવા માટે પૃથ્વી ઉપર વૃક્ષોની જરૂરિયાત છે. જેથી આ વૃક્ષારોપણ ના કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ઍ હતો કે વિદ્યાર્થીઓ શાળાની સાથે સાથે ઘરે પણ વૃક્ષ રોપે અને પોતાના વાલીને પણ સંદેશો પહોંચાડે કે વૃક્ષ વાવવાથી વાતાવરણમાં વધી રહેલી ગરમી અને ગ્લોબલ ર્વોમિંગનું પ્રમાણ ઘટાડી શકાશે. માટે પૃથ્વી ઉપર વધુમાં વધુ વૃક્ષને રોપવું આવશ્યક છે. આજરોજ શાળામાં વિશ્વપર્યાવણ ના ઉપલક્ષમાં બીજા દિવસે ૧૨૦૦ જેટલા વિદ્યાર્થીઓઍ  શાળા પરિસરમાં  ૧૪૦ જેટલા છોડ વૃક્ષઓનું વાવેતર કર્યું હતું. આ અવસરે શાળામાં વિદ્યાર્થીઓને નવું શીખવા મળતા વિદ્યાર્થીઓના ચહેરા ઉપર ખુશી જોવા મળી હતી. વૃક્ષારોપણના કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાશિક્ષકો, શિક્ષિકાઓ સહીત બિનશૈક્ષણિક સ્ટાફે પણ ભારે જહેમત ઉઠાવી હતી.