Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

સોનવાડા ગ્રા.પં.ની સરપંચની સામાન્ય બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે જંગ

સોનવાડા ગ્રા.પં.ની સરપંચની સામાન્ય બેઠક પર ચાર ઉમેદવારો વચ્ચે જંગ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૦૫ ઃવલસાડ તાલુકાના ૮ ગામોમાં ચૂંટણી જાહેર થયા બાદ સોનવાડા ગામ પંચાયતની ચૂંટણીમાં  સરપંચ ની સામાન્ય સીટ જાહેર થતાં  બે જૂના જોગી સરપંચ સહિત ચાર જેટલા ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉમેદવારી કરવા થનગની રહ્ના છે.

હાલમાં જ રાજ્ય ચૂંટણી પંચ દ્વારા  વલસાડ જિલ્લાની ગ્રામ પંચાયત અને  વિભાજન થયેલ ગામ પંચાયત મળી કુલ ૧૩૩ જેટલી ગ્રામ પંચાયતોની આગામી  ૨૨ જૂન ના રોજ ચૂંટણી યોજાઈ છે. વલસાડ તાલુકાના દાંડી, દાંતી કકવાડી, સોનવાડા, મગોદ ડુંગરી,  મગોદ, ભાગલ, પંચલાઈ  ગામની ચૂંટણી જાહેર થયા બાદ ચૂંટણી ઉમેદવારી ફોર્મ ભરવા માટે સરપંચો તેમજ સભ્યો ઉમેદવારી ફોર્મ ભરવા માટે લઈ જઈ રહ્ના છે. વલસાડ તાલુકાના ૧૦ ગામોની ચૂંટણી જાહેર થતાં  ચૂંટણીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં ખાસ કરીને નજીકના સોનવાડા ગ્રામ પંચાયતની ચૂંટણી નો ગમ ગમાટ શરૂ થયો છે. વલસાડ તાલુકાના સોનવાડા ગામ આવેલું છે સોનવાડા ગામની આશરે ૨૩૦૦ ની વસ્તી અને ૧૫૬૫ જેટલું મતદાન થાય છે. સોનવાડા ગ્રામ પંચાયતના ૮વોર્ડ આવેલા છે. જ્યાં અનુસૂચિત જાતિ સામાન્યની ઍક,અનુસૂચિત આદિ જાતિ સામાન્ય ઍક, શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ સ્ત્રીની ઍક, શારીરિક અને શૈક્ષણિક પછાત વર્ગ સામાન્ય ઍક, બિન અનામત સામાન્ય ઍક અને ત્રણ સામાન્ય સ્ત્રી બેઠક માટે  નું જાહેરનામું બહાર પાડ્યું હતું. 

સોનવાડા ગામ પંચાયત સરપંચની બેઠક સામાન્ય હોવાથી માજી ડેપ્યુટી સરપંચ   અંકિત ઉર્ફે નાગરાજ  અને સુરેશ ઉર્ફે ૧૦૮ સહિત બે ઉમેદવારો મળી કુલ ચાર ઉમેદવારો ચૂંટણી જંગમાં ઉમેદવારી કરી રહ્ના છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં અંકિત ઉર્ફે નાગરાજ પટેલ અને સુરેશ ઉર્ફે ૧૦૮ વચ્ચે ખરાખરીનો ચૂંટણી જંગ જમશે. છેલ્લા ઍક વર્ષથી ગ્રામ પંચાયતમાં વહીવટદાર નિમણૂક કરવામાં આવી હતી. માજી ડેપ્યુટી સરપંચ અંકિત ઉર્ફે નાગરાજ  પોતાના વોર્ડના તમામ સભ્યો ને ચૂંટણી જંગમાં ઉમેદવારી નોંધાવવા માટેની તમામ તૈયારીઓ કરી છે જ્યારે સમાપક્ષના સરપંચના ઉમેદવારને  આઠ વોર્ડમાં સભ્યો  શોધવા માટે મથામણ કરી રહ્ના છે. અંકિત પટેલ સરપંચની દાવેદારી કરતા  ગામના યુવાનો, વડીલો વિસ્તારના સભ્યો  તેને જીતાડી લાવવા માટે ઍડીચોટીનું જોર લગાવી રહ્ના છે. બીજી તરફ સુરેશ પટેલ પણ  પોતાની જીત મેળવવા માટે  ગ્રામજનો સાથે રહી પોતાને મતો મળે તેવી માંગ કરી છે.