સ્વ. આચાર્ય નગીનલાલ ચાવડા ટ્રસ્ટ દ્વારા ઉનાઈ લહેરીવાડીમાં નોટબુકનું વિતરણ કરાયું
- byDamanganga Times
- 06 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૦૫ ઃ ખેરગામના સ્વ આચાર્ય નગીનલાલ ચાવડા ટ્રસ્ટ-વડોદરા, શૈક્ષણિકપ્રવૃત્તિઓમાં યુનિફોર્મ પુસ્તક નોટબુક વિતરણ ની વિવિધ પ્રવૃત્તિઓ અંતરિયાળ ગામડામાં જઈ આશ્રમ-શાળાઓ અને અનાથ આશ્રમમાં જઈને કરે છે. આદિ ગુરુ શ્રી દત્ત ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ કથાકાર નરેશભાઈ રામાનંદીઍ ઉનાઈ લહેરી વાડી ખાતે શ્રી ચાવડા ટ્રસ્ટના મેને. ડાયરેક્ટર મુકેશ ચાવડાઍ સમર કેમ્પમાં આવેલા હોય નરેશભાઈ ને ભગવતી રુક્મામાંબા વનદેવી કન્યા છાત્રાલય વાઘવડની દીકરીઓ માટે ૫૦૦ નંગ નોટબુક અર્પણ કરવામાં આવી હતી. જેનો સાભાર સ્વીકાર સાથે દર વર્ષે ચાવડા ટ્રસ્ટ તરફથી છાત્રાલયની ૯૦ દીકરીઓ માટે અનાજ, ગણવેશ તેમજ શિક્ષણની વિવિધ વસ્તુ સહાયરૂપે મળે છે જે માટે આભારી છીઍ.