પ્રગટેશ્વરધામ-આછવણીના ધ. પરભુદાદા ના જન્મદિવસ ઉજવણી પીપલનારે કરાઈ
- byDamanganga Times
- 06 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
નવસારી, તા. ૦૫ ઃ પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માચાર્ય પરભુદાદાના ૮૬મા જન્મ દિવસની ઉજવણી નાસિક જિલ્લાના પીપલનારે ગામે ધર્મ, ભક્તિ અને સમર્પણના ભાવથી કરવામાં આવી હતી. મહારાષ્ટ્રના ગાડગે શિવ પરિવારના આયોજન હેઠળ આ ધર્મમય ઉત્સવની શરુઆત ઍકકુંડી નવચંડી યજ્ઞથી કરવામાં આવી હતી. ભૂદેવો કશ્યપભાઇ જાની, અનિલભાઇ જોષી અને હરેશભાઇ જાનીઍ વેદમંત્રોચ્ચારથી યજ્ઞવિધિ સંપન્ન કરાવી હતી. આ ઉપરાંત શિવ મંદિરમાં અભિષેક કરી ગુરુદેવના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરવામાં આવી હતી.