વરકુંડમાં કાનૂની જાગૃતિ શિબિર યોજાઈ
- byDamanganga Times
- 02 June, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૦૧ ઃ રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, દમણ અને દમણ બાર ઍસોસિઍશનના સંયુક્ત ઉપક્રમે, વરકુંડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં જાગૃતિ શિબિરનું આયોજન કરીને ગ્રામજનોને કાનૂની માહિતી આપવામાં આવી.
પ્રા માહિતી અનુસાર, વકીલ ઉદય પટેલે કાનૂની શિબિરમાં જણાવ્યું હતું કે માહિતી અધિકાર (ય્વ્ત્) વિશે માહિતી આપવાનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સશક્ત બનાવવા, પારદર્શિતા વધારવા, ભ્રષ્ટાચાર અટકાવવા અને સરકારની કાર્યશૈલીમાં સુધારો કરવાનો છે.
આ શિબિરો ય્વ્ત્ કાયદા, ૨૦૦૫ વિશે જાગૃતિ લાવે છે, જેથી લોકો માહિતી મેળવવાના તેમના અધિકારનો ઉપયોગ કરી શકે, જ્યારે ઍડવોકેટ ક્રિનાલી સી ભંડારીઍ પેરા લીગલ સ્વયંસેવકોને કાનૂની માહિતી આપી. આ પછી, વકીલ નૃતિ રાઠોડે દહેજ કાયદા અને ઘરેલું હિંસાથી રક્ષણ કાયદા વિશે કાનૂની માહિતી આપી. કાર્યક્રમનું સંચાલન ઍડવોકેટ વિદુષીઍ કર્યું અને આભાર વ્યક્ત કર્યો.