ઉદવાડાના દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન
- byDamanganga Times
- 31 May, 2025

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૩૦ ઃ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે અને જન જાગૃતિ અર્થે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ વાપી, ગુજરાત ઍન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ ગાંધીનગર અતુલ લિમિટેડ અને વેલસ્પન કંપનીના સંયુક્ત પ્રયાસો થકી ઉદવાડા ગામના દરિયા કિનારે સફાઈ નો આયોજન કરવામાં આવ્યું હતું.
વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીનાં ભાગરૂપે અને જનજાગૃતિ અર્થે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, વાપી , ગુજરાત ઍન્વાયરમેન્ટ મેનેજમેન્ટ ઇન્સ્ટીટ્યૂટ ગાંધીનગર, અતુલ લિમિટેડ અને વેલ્સ્પૂન કંપનીના સંયુક્ત પ્રયાસરૂપે ગત રોજ ઉદવાડા ગામના દરિયા કિનારાની સફાઇનુ આયોજન કરવામા આવેલ હતુ. જીપીસીબીના અધિકારી ઈન્દ્રવદન ભાઈ પટેલ, વિપુલભાઈ પ્રજાપતિ, કેવલભાઈ મહેતા, પિયૂષભાઈ જાદવ, હરિશભાઈ ગામીત, અતુલ લિમિટેડના વાઈસ પ્રેસિડન્ટ હ્લદયભાઈ દેસાઇ, અન્ય અધિકારીઓ અને કર્મચારીઓ તેમજ વેલસ્પૂન કંપનીનાં અધિકારીઓ અને કર્મચારીઓઍ મોટી સંખ્યામા હાજર રહી સ્વચ્છતા અભિયાનને સફળ બનાવ્યુ હતુ. ભેગા થયેલા પ્લાસ્ટિક કચરાનો અતુલ કંપની દ્વારા વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરાયો હતો.