Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

આંબાપાડાના ખેડૂતમિત્ર રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી આર્થિક રીતે પગભર બન્યા

આંબાપાડાના ખેડૂતમિત્ર રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી આર્થિક રીતે પગભર બન્યા

(આલેખન ઃ ઊર્મિલા માહલા-ડાંગ)

આહવા, તા. ૩૦ ઃ ડાંગ જિલ્લાના પ્રવેશ દ્વાર ઍવા વઘઈ તાલુકાના આંબાપાડા ગામના ખેડૂતમિત્ર શ્રી સચિનભાઈ કેશુભાઈ મહાકાળ રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવી આર્થિક રીતે પગભર બન્યા છે. ધોરણ ૮ નો અભ્યાસ કર્યા બાદ શ્રી સચિનભાઈ મહાકાળ ઍક ઍકરમાં છેલ્લા પાંચ વર્ષથી સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતમિત્રોને ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહ્ના છે. 

ઉલ્લેખનીય છે કે,  સચિનભાઈ પણ બીજા બધા ખેડૂતોની જેમ આ અગાઉ રાસાયણિક ખેતી કરતા હતા. પરંતુ આત્મા પ્રોજેક્ટના માર્ગદર્શન હેઠળ પ્રાકૃતિક ખેતીની શ્રેણીબદ્ધ તાલીમો મેળવી, અને અન્ય પ્રગતિશીલ ખેડૂતોના ખેતરોની મુલાકાત લીધા બાદ તેમણે પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી હતી. છેલ્લા પાંચ વર્ષથી તેઓ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરી રહ્ના છે તેમ તેમણે જણાવ્યું હતું.

આ અગાઉ વધુ પડતા રાસાયણિક ખાતર અને દવાના ઉપયોગના કારણે જમીનની ફળદ્રુપતા ઘટાડો જોવા મળ્યો હતો. તેમજ રાસાયણિક ખાતરના વધતા જતા ભાવના કારણે ખેતી ખર્ચ પણ વધારે આવવા સાથે નફો ઓછો થતો હતો. રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાથી જમીન અને વાતાવરણ ખરાબ થતા હતા. તેમજ રસાયણ યુકત ખોરાક ખાવાથી શરીરની તંદુરસ્તી ઉપર પણ તેની પણ માઠી અસર જોવા મળતી હતી. 

ખેડૂતમિત્ર સચિનભાઈ મહાકાળે અપનાવેલા નવિતમ અભિગમની વાત કરીઍ તો જ્યારથી તેઓ પ્રાકૃતિક ખેતીનું મહત્વ, ઉપયોગ અને ફાયદા અંગે વિસ્તૃતમાં સમજણ મેળવતા થયા ત્યારથી તેમણે ગાય આધારિત ખેતી અપનાવી છે. જેમાં પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત, નીમાસ્ત્ર, અગ્નિસ્ત્ર જાતે બનાવીને ઉપયોગ કરે છે. તેમજ વર્મીબેડ બનાવીને વર્મીકમ્પોસ્ટ, અળસિયા ખાતર બનાવીને વપરાશ કરે છે. ખેતરના કચરાનો ઉપયોગ આચ્છાદન (મલ્ચીંગ) માટે કરે છે. 

તેમણે પાકને જરૂરી ઍવી દવા, અને ખાતર પણ પોતાના ઘરે જ બનાવે છે. રસાયણિક ખાતરને બદલે જીવામૃત, નીમાસ્ત્ર, અગ્નિસ્ત્ર જાતે બનાવીને આર્થિક ફાયદાનો લાભ મેળવે છે. તો બીજી તરફ જમીનની ભેજ સંગ્રહ ક્ષમતા, ફળદ્રુપતા અને ઉાદનમાં પણ વધારો જોવા મળ્યો છે. ૯૦ ટકા પાણીની બચત, ઓછા ખર્ચે ખેતી સ્થાનિક પધ્ધતિની સાપેક્ષમાં આ નવિન પધ્ધતિથી થવા પામ્યો છે. 

પ્રાકૃતિક ખેતીથી ખેતીનું ઉત્પાદન વધુ થાય છે. જમીનનું ધોવાણ થતું અટકે છે. જેથી જમીનની તંદુરસ્તી પણ જળવાઈ રહે છે. રસાયણિક ખાતરથી જે જમીન બગડતી હતી તે અટકાવી શકાય છે.  જંતુનાશક દવાઓ જાતે બનાવી હોવાથી ઍના ખર્ચમા ઘટાડો જોવા મળ્યો છે. પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પાદન કરેલા અનાજનો ભાવ પણ વધુ મળી રહે છે. ખર્ચ ઓછો થાય છે અને આવકમાં વધારો થયો છે. આમ, પ્રાકૃતિક ખેતી કરી અન્ય ખેડૂતો માટે તેઓ પ્રેરણાસ્રોત બન્યા છે.