Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ઘરથી ઘડાતી દુનિયાઃ બાળકના વિકાસ માટે જાગૃત માતા-પિતાની ભૂમિકા??

ઘરથી ઘડાતી દુનિયાઃ બાળકના વિકાસ માટે જાગૃત માતા-પિતાની ભૂમિકા??

પ્રીતનું ઝરણું

જ્યોતિ ઉત્પલ પંડિયા,અતુલ

બાળકને ઘડવાનો શરુઆતનો પાયો તેના ઘરમાં જ બને છે. જે રીતે માતા-પિતા પોતે વર્તે છે, જેમનું ધ્યાન, શિસ્ત, સંવાદ અને સંસ્કાર હોય છે  તે બધું બાળકની આદત, આચાર અને માનસિકતા પર ઊંડો અસર કરે છે.ટેકનોલોજીના યુગમાં પણ જો માતા-પિતા જાગૃત અને સમજદાર હોય, તો બાળકમાં નૈતિક મૂલ્ય, બુદ્ધિ, શારીરિક અને ભાવનાત્મક વિકાસ સંતુલિત રીતે થઈ શકે છે.અન્ય રીતે કહીઍ તો, ઘર ઍ બાળકની પ્રથમ શાળા છે , અને માતા-પિતા ઍ પ્રથમ શિક્ષક.

આજનું જે જનરેશન છે. જેને આપણે જોઈ રહ્ના છે. તે જોતા તમે સમજી શકો છો, કે ટેકનોલોજી અને વિકાસને પગલે આજે બાળકોની સમજ શક્તિ   ખૂબ આગવી પડતી છે. આજે તરત જન્મેલું બાળક પણ આંખો ખોલી ચારે બાજુ દુનિયાને ઓળખવામાં પ્રયત્ન કરે છે .ખૂબ ચંચળ અને ઉત્સાહ તો છે જ, પણ તેટલાજ ઘરકૂકડા પણ બનતા જાય છે. માતા પિતાને વ્યસ્તતા અને વધારે પડતા મોબાઈલ, ટીવીના વપરાશને લીધે બાળકો પર ખૂબ ઊંડી અસર જોવા મળી રહી છે. ખૂબ નાની નાની ઉંમરમાં આંખો ઉપર ચશ્મા આવી જવા, રમત ગમતની જગ્યાઍ મોબાઈલ ગેમ્સ પર વ્યતિત કરતા બાળકો, કે ફાસ્ટ ફૂડનો વપરાશ ઍકદમ ફાસ્ટ અધોગતિ તરફ લઈ જઈ રહ્ના છે .ત્યારે આપણે માતા પિતા તરીકે સમજવાની ખૂબ જરૂર છે, કે બાળમનનો વિકાસ ઍ ઍક સતત ચાલતી પ્રક્રિયા છે. જેમાં બાળક શારીરિક, બૌદ્ધિક, સામાજિક અને ભાવનાત્મક  રીતે  વિકસતું જાય છે .આ અસરો દ્વારા આ વિકાસ નૈસર્ગિક અને સામાજિક પરબળોના પરસ્પર અસરો દ્વારા ઘડાય છે. બાળકને સમજવું આજના યુગમાં અનિવાર્ય છે. તેમની સાથે અસરકારક રીતે સંવાદો સ્થાપિત કરવા માટે આપણે ઘણા પરિબળો સમજવા પડશે. બાળકનો વિકાસ શારીરિક, માનસિક, ભાષાઈ અને નૈતિક મૌલિક ક્ષેત્રોમાં ઍક સાથે થવો જોઈઍ. દાખલા તરીકે જ્યારે બાળક બોલતા શીખે છે, ત્યારે તે સમયે તેની બુદ્ધિનો વિકાસ પણ થાય છે કે સામાજિક સંવાદો તે સમજી શકે. શૈશવ અવસ્થા સમયે તેનો શારીરિક વિકાસ ખૂબ જ ઝડપથી થતો હોય છે. તેની મૌલિક ઈન્દ્રિયોનો વિકાસ થતો હોય છે. અને આ સમયે માતા પિતા સાથે તેના ગાઢ બંધન તમારે સમજવા જરૂરી છે. જ્યારે છ માસનું નાનું બાળક હોય તો તે પોતાની માતાને જોઈને હસતા મોઢે તેને ઓળખી જાય છે. ઍટલે તમે સમજી શકો કે તે તેની સામાજિક સમજદારી નું પહેલું નિધન છે. બે થી છ વર્ષની ઉંમર દરમિયાન તેની ભાષા વિકાસનો તબક્કો શરૂ થાય છે. ખેલ દ્વારા તે બધું શીખવાનો પ્રયત્ન કરે છે. અને આજ સમય ઍવો  છે જ્યારે બાળકમાં મારું વલણ વધારે જાગૃત થાય છે. તમે ધ્યાન કરો કે ચારથી પાંચ વર્ષના બાળકો પોતાના રમકડા કોઈ સાથે વેચવાનું પસંદ કરતા નથી જેને કહેવાય છે ઍગો  સેન્ટ્રીક સ્ટેજ.આ સમયે આપણે ખૂબ શાંત મને, રમતની સાથે ઍ કુમળા મન માં ઍકબીજા સાથે વેચવું, મિત્રતા સાથે સારી સમજણ ધીરે ધીરે નાખવાનો આપણે પ્રયાસ કરવો જોઈઍ. જેથી તેના માટે આ ખૂબ સામાન્ય છે. દરેક આ સ્ટેજમાં આવે છે. તે ઉપરાંત છ થી ૧૨ વર્ષના બાળ અવસ્થા દરમિયાન શારીરિક અને બૌદ્ધિક બંને કૌશલ્યનો વિકાસ થાય છે. અને આજ સમયે ખૂબ સમય સારી પૂર્વક તર્કસંગત મોહન આપોવો ખૂબ અનિવાર્ય બને છે.  કારણ કે  મિત્રો અને સમૂહની અસર ઍટલેકે બધ્ધા મિત્રોનું ટોળું,સાથે રમવું,સાથે વિચારોની આપલે કરવી, ઘણા લોકો સાથે રહેવું આ સ્થિતિ તેના પર ઘણી વધતી હોય છે. અને ત્યારે તેને  પોતાનું હોમવર્ક સમયસર કરતા,નિયમોનું પાલન કરતા,ઉઠવા બેસવાની પદ્ધતિઓ વ્યવસ્થિત રીતે શીખવું,ઍના પોતાના કાર્યો ઍ પોતે જાતે કરી શકે, પોતાની રીતે વ્યવસ્થા શક્તિ લાવી શકે આ બધી કર્મશીવતાનો ભાવ ઍનામાં જાગ્રત કરવો જરૂરી છે. નિયમિતતા આ વર્ષ દરમિયાન તેનામાં આવે તો આગળ તેના ભવિષ્યની ઉજવળ તકો પોતે ઊભી કરી શકે છે. ત્યાર પછીનો જે તબક્કો હોય છે ને મિત્રો,તે ૧૨ થી ૧૮ વર્ષની ઉંમરનો. આ ૧૨ થી ૧૮ વર્ષની જે ઉંમર છે, ઍ ઉંમરમાં તેઓ પોતાને શોધે છે. પોતાને ઓળખે છે. તેમની આ કિશોર અવસ્થા તેમના પોતાના તેમજ માતા પિતા બંને માટે ખૂબ સંવેદનશીલ સમય હોય છે. તેનામાં થતા જે શારીરિક ફેરફારો છે. ભાવનાત્મક ઉથલપાથલ છે. વિચાર શક્તિનો વધારો છે. પોતાના ભવિષ્ય પસંદ કરવાના ઉંડા વિચારો કરવા. આની સાથે  પોતાની બૌદ્ધિક ક્ષમતામાં ખૂબ જ વધારો થતો હોય છે. સમાજમાં પોતાનું સ્થાન મેળવવા પ્રયત્નશીલ થવું. ઍ બાળમમાં વિકાસ માત્ર શીખવાની પ્રક્રિયા નહીં પણ ઍક માનવ ઘડામણ નો આધાર છે. જો આ તબક્કો આપણે સમજીઍ, ત્યારેજ  બાળક માટે યોગ્ય માર્ગદર્શન અને તેને સાથ આપવા આપણે તૈયાર થઈ જશું. જેવો સમય છે, તે અનુસાર ટેકનોલોજી સોશિયલ મીડિયા ઍનો વપરાશ કે, કેવો, શા માટે ? તેનું  ઍક  માળખું તૈયાર કરવું પડે.  સમય સાથે ચાલવા વિકાસશીલ થવા ટેકનોલોજી સાથે તો આપણે ચાલવું જ પડશે. 

પણ તેની સાથે બાળકોમાં નૈતિક મૂલ્ય, સ્વસ્થ શરીર અને ઍની સાથે ફળદ્રુપ બુદ્ધિનો વિકાસ કરવા બાળકમાં આવતા ઉંમરના આ તબક્કોના હિસાબે માતા પિતાઍ પોતાનું આચરણથ કેળવવું  ખૂબ જ જરૂરી બને છે. બાળકને ઘરમાં નિયમિતતા અનુશાસન અને જીવનના મુખ્ય મૂલ્ય સમજાવી તેની સાથે તેના જેવા બની સાથે ચાલવુ પડે ત્યારે ઍક બાળક સમાજ માટે અને પોતાના માટે આદર્શ બની શકે છે.