વલસાડની પ્રસાદી પરિવાર દ્વારા માસિક સ્ત્રાવ સ્વચ્છતા દિવસની ઉજવણી
- byDamanganga Times
- 30 May, 2025

વલસાડ, તા. ૨૯ ઃ દીકરીઓ માસિક ધર્મ સ્વચ્છતા અંગે જાગૃત થાય ને પૂર્વગ્રહમુક્ત રહીને માસિક ધર્મને ઉત્સવની જેમ ઊજવીને દીકરીઓ સ્વસ્થ રહે ઍવા હેતુ સાથે પ્રસાદી (પ્રસન્ન સાક્ષર દીકરી) અભિયાનના પ્રણેતા ભાવનાબેન મિસ્ત્રી દ્વારા છેલ્લા ૨૫ વર્ષથી માસિક ધર્મ અંગે સ્વચ્છતા જાળવવા માહિતી અને માર્ગદર્શન આપવામાં આવે છે. અભય ફાઉન્ડેશન ટ્રસ્ટના સૌજન્યથી વલસાડ, નવસારી અને સુરત જિલ્લાના ગામડાઓની જરૂરિયાતમંદ દીકરીઓને દર મહિને નિઃશુલ્ક સેનેટરી પેડનું વિતરણ કરવામાં આવે છે.
વર્ષ ૨૦૨૪ માં કૅનેડા નિવાસી પુષ્પાબેન હસમુખરાય મિસ્ત્રી તથા ઉર્મિલાબેન મિસ્ત્રી (ઈંગ્લેન્ડ) ના સૌજન્યથી દીકરીઓને ૩૦૦૦ થી વધુ સેનેટરી પૅડ વિતરણ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં હજારો જરૂરિયાતમંદ દીકરીઓઍ પ્રસાદી અભિયાન સાથે જોડાયને સેનેટરી પૅડ બેંકનો લાભ લીધો છે.