Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

આહવાના ૨૨ જેટલા ટીબીના દર્દીઓને પોષણક્ષમ અનાજની કીટ પુરી પાડાઈ

આહવાના ૨૨ જેટલા ટીબીના દર્દીઓને પોષણક્ષમ અનાજની કીટ પુરી પાડાઈ

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

આહવા, તા. ૨૯ ઃ જિલ્લા ક્ષય કેન્દ્ર, આહવા ખાતે તા. ૨૭-૫-૨૦૨૫ના રોજ લાયન્સ ક્લબ ગણદેવી, નવસારી જિલ્લાના નિક્ષય મિત્ર દ્બારા આહવા તાલુકાના કુલ-૨૨ જેટલા ટીબીના દર્દીઓને પોષણક્ષમ અનાજની કીટ પુરી પાડવામાં આવી હતી. 

આ કાર્યક્રમમાં નવસારી, વલસાડ, અને ડાંગ જિલ્લાના ક્ષય રક્તપિત્ત નિવારણ મંડળના પ્રમુખ તથા વરિષ્ઠ પત્રકાર  પરેશભાઇ અધવર્યુ, હરિસેવક દાસજી-સ્વામિનારાયણ ઇંગ્લીસ મીડીયમ સ્કુલ-વલોટી,  પ્રિતીબેન પ્રજાપતિ-પ્રમુખ, લાયન્સ ક્લબ-ગણદેવી, પ્રદિપભાઇ શાહ, પ્રમુખ લાયન્સ ક્લબ-ચિખલી, અરવિંદભાઇ શાહ, સેક્રેટરી ક્ષય મંડળ,  નિખિલભાઇ પટેલ (સાયકલીસ્ટ) તથા ધનોરી શાળાના જયદિપ ધુમાડીયા તથા મિનલબેન વિગેરે હાજર રહ્નાં હતાં. 

જિલ્લા ક્ષય કેન્દ્ર, આહવાના મિત્તલબેન ગામિત, ડીપીસી, સુનિલભાઇ જાધવ, ઍસટીઍલઍસ, નરેન્દ્રભાઇ ઍસ.પટેલ, ઍસટીઍસ તથા દેવેન્દ્રભાઇ ભગરીયા, ઍસટીઍસ સુબીર દ્વારા સમગ્ર કાર્યક્રમનુ સંચાલન કરવામાં આવ્યું હતું. 

કાર્યક્રમના અંતે જિલ્લા ક્ષય અધિકારી ડો. બિનેશ આર.ગામિત દ્વારા સૌ ઉપસ્થિત મહેમાનોનો આભાર માની ડાંગ જિલ્લા સહિત અન્ય જિલ્લામાંથી પધારેલ સામાજીક આગેવાનો આગળ આવે, અને આ પ્રકારના સેવાકીય કાર્યમાં જોડાય તે અંગે આહવાન કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કર્યો હતો.