ઉમરગામમાં રાષ્ટ્રશકિત ઉદ્ગોધન કાર્યક્રમ યોજાયો
- byDamanganga Times
- 30 May, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૯ ઃ ઉમરગામ ટાઉન સ્ટેશન મુખ્ય માર્ગ પર રાજસ્થાન સેવા સમિતિના ગ્રાઉન્ડ માં હિન્દુ સંગ્રામ મિત્ર મંડળ બજરંગ દળ અને વિશ્વ હિન્દુ પરિષદના સંયુક્ત ઉપક્રમે રાષ્ટ્ર શક્તિ ઉદબોધન કાર્યક્રમનો આયોજન કરવામાં આવ્યું હતું.
જેમા સનાતની યુવા લેખક સંસ્કૃતિ અને સનાતન ધર્મના પ્રભાવશાળી વક્તા ગૌતમ ખટ્ટરજી તથા સમાજ સેવી સાંસ્કૃતિક પ્રવક્તા મિનાક્ષી સહરાવત તથા રાષ્ટ્રીય જાગ્રતી અને દેશભક્તિના જાણીતા વક્તા શ્રઘ્ધા શૌર્ય તથા મહારાષ્ટ્રના યુવા રાષ્ટ્ર ભક્ત વક્તા અક્ષતા માનસી માઘવ તથા રાષ્ટ્રપ્રેમ માટે જાણીતા સાહિત્યકાર અનોપસિહ વાઘેલા ઉપસ્થિત રહ્ના હતા.કાર્યક્રમ માં આમંત્રણ અને માન આપી વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ અને મોટી સંખ્યામાં સનાતનની ઓ ઉપસ્થિત રહ્ના હતા. જય માતાજી સેવા સંઘના સ્થાપક પ્રમુખ અને યુ.આઇ.ઍ ઉપપ્રમુખ ભગવાન ભાઈ ભરવાડ, જલધિઓઝા, રમેશભાઈ જૈન, ભાગવતાચાર્ય શાસ્ત્રી હાર્દિકભાઈ શુકલ, મણીકાત ઝા તથા ખાટું શ્યામ મિત્રમંડળના સભ્યોના હસ્તે દિપ પ્રાગટય કરવામાં આવ્યું હતું.
તમામ શ્રેષ્ટીઓના હસ્તે ઉપસ્થિત વક્તાઓનું શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ઉપસ્થિત વક્તાઓ દ્વારા જલદ અને રાષ્ટ્ર પ્રેમ તથા સનાતન ધર્મ પ્રેમી અસરકારક પ્રવચન આપવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્ના હતા અને જયશ્રી રામ હર હર મહાદેવ અને ભારતમાતા ની જયના જયકારા સાથે સમગ્ર ઉંમરગામ ગુંજી ઉઠ્યું હતું.