ગોવાડામાં બીચ કિલનિંગ કાર્યર્ક્રમ યોજાયો
- byDamanganga Times
- 30 May, 2025

ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન (યુ.આઇ.ઍ) પ્રમુખ નરેશ ભાઈના માર્ગદર્શન હેઠળ સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો ઃ સરીગામ જીપીસીબી વિભાગના અધિકારીઓ ત્રિવેદીની વિશેષ ઉપસ્થિતિ રહી
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ઉમરગામ, તા. ૨૯ ઃ ઉમરગામ તાલુકાના ગોવાડા ગ્રામ પંચાયત વિસ્તારના દરિયા કિનારે ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન પ્રમુખ નરેશભાઈ ના માર્ગદર્શન હેઠળ ઉપપ્રમુખ ભગવાનભાઈ ભરવાડ સેક્રેટરી તાહેરભાઈ સભ્યો અમરતભાઈ પટેલ વિપુલભાઈ પંચાલ અગ્રણી ઉદ્યોગપતિ ઈશ્વરભાઈ બારી સંતોષભાઈ રવેસિયા, ગોવાડા અને દહેરી ગામ પંચાયતના સભ્યો ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં ગોવાડા દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત કચરાનો નિકાલ કરવા સફાઈ કામગીરી હાથ ધરાઈ હતી ત્યારબાદ ઉપસ્થિત સૌઍ દરિયા કિનારે વૃક્ષારોપણ કરી તેના જતનપૂર્વક ઉછેર માટે કટિબદ્ધતા દાખવી હતી. ગ્લોબલ ર્વોમિંગને કારણે વિશ્વના અનેક દેશો કુદરતી આપદાનો સામનો કરી રહ્ના છે. વધુમાં વધુ વૃક્ષો રોપી વાતાવરણમાં સંતુલન જળવાઈ રહે તે દિશામાં પ્રયાસ કરવા ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન પ્રમુખ નરેશભાઈ ઍ સૌને અનુરોધ કર્યો હતો સાથે જ પર્યાવરણ માટે સૌથી હાનિકારક ઍવા પ્રતિબંધિત પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરવા વિનંતી કરી હતી.
જીપીસીબી સરીગામ કચેરીના અધિકારીઍ ઓ ત્રિવેદીઍ વિશ્વ પર્યાવરણ દિવસ ની ઉજવણી માત્ર પ્રક્રિયા નહીં પરંતુ ગ્લોબલ ર્વોમિંગ જેવી સમસ્યાનો સામનો કરવા વધુમાં વધુ વૃક્ષો રોપવા સહિત અન્ય ઉપાયો જેવા કે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો, શહેરીકરણને કારણે ઘટી રહેલી વૃક્ષોની સંખ્યા સામે વૃક્ષારોપણ સંદર્ભે લોક જાગૃતતા આવે તેની સામે કાર્યક્રમો કરવા વિવિધ સંસ્થાઓ અને સામાજિક આગેવાનોને અનુરોધ કર્યો હતો.
ઉમરગામ જીઆઇડીસી રહેઠાણ વિસ્તાર તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં અગાઉ ઉમરગામ ઇન્ડસ્ટ્રીઝ ઍસોસિઍશન દ્વારા સ્વચ્છતા અભિયાન અને વૃક્ષારોપણ સંદર્ભે કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. આજરોજ ઔદ્યોગિક વિસ્તારને અડીને આવેલા ગોવાડા ના રળિયામણા દરિયા કિનારે સ્વચ્છતા અભિયાન અંતર્ગત સફાઈ કરી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં આમંત્રણ ને માન આપી ઉપસ્થિત રહેલા સૌનો યુઆઇઍ પ્રમુખ નરેશભાઈઍ આભાર પ્રગટ કર્યો હતો.