દાનહમાં ટ્રાફિક જાગૃતિ અભિયાન શરુ
- byDamanganga Times
- 29 May, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
સેલવાસ, તા. ૨૮ ઃ પ્રશાસક શ્રી પ્રફુલ્લભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ દાદરા નગર હવેલી પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક જાગૃતિ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. ઝ઼ત્ઞ્ તથા ટ્રાફિક લ્ભ્ના નેતૃત્વ હેઠળ ચાલી રહેલ આ મુહિમમાં દરેક ગામ, દરેક પંચાયત તેમજ સિલવાસા સ્માર્ટ સિટી વિસ્તારમાં પણ જાગૃતિ લાવવાની કામગીરી શરૂ થઈ છે. આ અભિયાન અંતર્ગત લોકોમાં ટ્રાફિક નિયમો અંગે જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્ના છે. આજે દાદરા પંચાયત, સાઇલી, ખાનવેલ, નરોળી અને દૂધાણી પંચાયતોમાં કાર્યક્રમ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા હતા.
અભિયાન દરમિયાન ખાસ કરીને બાઇક પર મુસાફરી કરતી વખતે હેલ્મેટ પહેરવાનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. અકસ્માત સમયે હેલ્મેટ જીવન બચાવી શકે છે તેવો સંદેશ આપાયો હતો. ઉપરાંત નાબાલગ બાળકોને વાહન ચલાવવાનું આપરાધિક છે તે અંગે પણ સમજાવવામાં આવ્યું હતું.
સિલવાસા સ્માર્ટ સિટીમાં ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા સામે ઘ્ઘ્વ્સ્ કેમેરાના આધારે ઇ-ચાલાન કરાશે તેની માહિતી પણ આપવામાં આવી હતી.
આ અભિયાન આગામી ૧૦ દિવસ સુધી સતત ચાલુ રહેશે અને દરેક ગામે જઈને લોકોને ટ્રાફિક નિયમો અંગે જાગૃત કરવામાં આવશે ઍવી માહિતી પોલીસ વિભાગ દ્વારા આપવામાં આવી છે.