Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

વલસાડ માર્કેટના વેપારીઓ આજે રેલી કાઢી આવેદનપત્ર આપશે

વલસાડ માર્કેટના વેપારીઓ આજે રેલી કાઢી આવેદનપત્ર આપશે

(દમણગંગા ટાઇમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૮ ઃ વલસાડ શાકભાજી માર્કેટના લારી પાથરણા વાળાઓને બેસવા માટે  વલસાડના મધ્યભાગમાં જગ્યા ફાળવવાની માંગણી કરવામાં આવી છે   શાકભાજી માર્કેટ ના લાવી પથરાણા વાળાઓને જગ્યા ફાળવવામાં નહીં આવે તો  ૨૯ મે ના રોજ  રેલી કાઢવાની ચીમકી આપી  આજરોજ વલસાડ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી છે.

 વલસાડ શાકભાજી માર્કેટમા  ધંધો કરનારા વેપારીઓઍ આજરોજ વલસાડ જિલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી કે વલસાડ શાકભાજી માર્કેટમાં વર્ષોથી લારી-પથારા લગાવી ધંધો કરતા આવેલ છે. શાકભાજી માર્કેટમાં અંદર બહાર બેસવાની વ્યવસ્થા નગરપાલીકા દ્રારા વર્ષોથી કરેલ હતી. નગરપાલીકા ધ્વારા આ જગ્યાઍ જુનુ માર્કેટ તોડીને નવુ બનાવવાનું ચાલુ થયેલ છે માટે અમો લારી પથારાવાળાઓને વારંવાર ત્યાંથી ભગાવવામાં આવે છે.

કલેક્ટર સરકારી તંત્ર દ્રારા શાકભાજી માર્કેટમાં ન બેસવા જાહેરનામું કાઢેલ છે 

અને આ તમામ લારી પથારાવાળાઓને બેસવા માટે તરીયાવાડ ખાતે વ્યવ્યવસ્થા કરવામાં આવી છે ઍમ કહેવામાં આવેલ છે. આ તરીયાવાડનાં મેદાનનાં સામેજ માજી નગરપાલીકાના પ્રમુખ રાજુ મરચાનું ઘર આવેલ છે. આ રાજુ મરચા ઉપર અનેક મારામારીના ગુનાઓ નોંધાયેલ છે અને તેમને તડીપાર પણ કરવામાં આવેલ છે. માટે શાકભાજી વેચવા મહીલાઓ પણ આવે છે. માટે આ જગ્યા પર જઈઍ તો આ વ્યકતી બધાને હેરાન કરે ઍવી શકયતા છે. જેથી વેપારીઓઍ સી.બી. હાઇસ્કુલનું મેદાન,  ઍ.પી.ઍમ.સી. માર્કેટ બેચર રોડ,  ઍલ. ઍન.ટી. હાઉસીંગ નવીના બાજુની ખુલ્લી જગ્યા,  આવાબાઈ સ્કુલનું મેદાન  સ્ટેડીયમનું મેદાન (બી.ડી.સી.ઍ.),  શહીદ ચોકનું મેદાન  માર્કેટનાં ઍકબાજુ છોડીના બાડીના ત્રણ ખુણામાં જગ્યા બેસવા માટે આપવામાં આંગણી કરી છે. શાકભાજી માર્કેટ ના વેપારીઓની માંગણી ધ્યાનમાં લેવામાં નહીં આવે તો  આગામી તારીખ તા. ૨૯/૦૫/૨૦૨૫ ના ગુરુવારનાં રોજ શાકભાજી માર્કેટના મોટી સંખ્યામાં વેપારીઓ   શાકભાજી માર્કેટ સેજલગેસ થી ટાવરથી આવા બાઈ સ્કુલ થઈ કલેક્ટરથીની કચેરી સુધી કલેક્ટર ને આવેદનપત્ર પાઠવશે.