ખેરગામમાં ખાતર ખરીદવા ખેડૂતોનો ધસારો
- byDamanganga Times
- 29 May, 2025
.jpeg)
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
ખેરગામ, તા. ૨૮ ઃ આદિજાતિ વિકાસ વિભાગ, ગુજરાત અને ડેવલપમેન્ટ સપોર્ટ ઍજન્સીના સૌજન્યથી ખેતીમાં વૃદ્ધિ, આદિજાતિ ખેડૂતોના જીવનમાં સમૃદ્ધિ હેઠળ વિવિધ ખાતરો બિયારણ દવા ગરીબી દેખાતી નીચેના ખેડૂતોને માત્ર રૂ.૫૦૦/-મા ૪,૦૦૦/-થી વધુ ની વસ્તુઓ નુ વિતરણ કરવામાં આવે છે જે લેવા માટે છેલ્લા બે ત્રણ દિવસથી વરસાદી વાતાવરણ શરૂ થઈ જતા ખેડૂતોનો ધસારો થયો છે ખેરગામ ખાતેના જીઍસઍફસી ઍગ્રોટેક વિક્રેતા યજ્ઞેશ પટેલ અને સંદીપ પટેલ દ્વારા વિતરણ કાર્ય ચાલી રહ્નાં છે, જેમાં લાભાર્થી ધરતી પુત્રને વાંસદા પ્રાયોજના વહીવટદાર ટ્રાયબલ સબ પ્લાનમાં ઍક ગુણ-૨૦„ ૨૦„૦ ખાતર-૧૪૦૦/- રૂ., ઍક બેગ પ્રોમની-૭૨૫/-, નેનો યુરિયા ૫૦૦ ઍમઍલ-૨૨૫/-, ભીંડા નું બિયારણ બે કિલો ૨,૬૦૦/- રૂપિયા ભાત બિયારણ ત્રણ મણ- ૧,૭૦૦/- રૂપિયા રીંગણનું બિયારણ ૨૦ ગ્રામ ના રૂ.૩૦૦/- લેખે રાહત દરે આપવામાં આવી રહ્નાં છે.
પ્રસિદ્ધ આગાહીકાર અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ રાજ્યમાં વાતાવરણનુ નિર્માણ થઈ રહેલું છે, ઘણા ભાગોમાં ભારે વરસાદ નુકસાન કરી રહ્ના છે કે ચક્રવાત પણ ખેદાન મેદાન કરી રહ્ના છે જેથી ચોમાસુ પણ દસ-પંદર દિવસ વહેલું આવવાની આગાહી થતા ખેડૂતો અવઢવમાં પડી ગયા છે, તેઓની પૂર્વ તૈયારી કોઈ થઈ નથી અને વરસાદ શરૂ થતા હવે શું કરું? તેમાં અટવાયા છે
જેથી ખાતર લેવામાં પણ ઘસારો થયો છે. કેરીની મોસમ, પાક તો બગડ્યો છે પણ હવે ચોમાસુ ખેડૂતો માટે કેવું રહેશે? તે યક્ષ પ્રશ્ન છે.