Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

ઉમરસાડીમાં લક્ષ્મી નારાયણ ભગવાનનો ૧૦મો પાટોત્સવ યોજાયો

ઉમરસાડીમાં લક્ષ્મી નારાયણ ભગવાનનો ૧૦મો પાટોત્સવ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

પારડી, તા. ૨૭ ઃ  પારડી તાલુકાના ઉમરસાડી માછીવાડ ગામમાં શ્રી માછી મહાજનપંચ ઉમરસાડી માછીવાડ સંચાલિત શ્રી લક્ષ્મી નારાયણ ભગવાનનો ૧૦ મો પાટોત્સવ નિમિત્તે શ્રી રામ ચરીત માનસ શ્રી રામ કથા યોજાઈ રહી છે શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનની અસીમ કૃપા તથા શ્રી સદગુરુજી શ્રી મહંત ગોપાલદાસજી શાસ્ત્રીના આશીર્વાદથી શ્રી માછી મહાજનપંચ દ્વારા આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ ભગવાનનો દસમો પાટોત્સવ નિમિત્તે શ્રી રામચરિત માનસ શ્રીરામ કથાનું આયોજન તા. - ૨૩/૫/૨૦૨૫ થી ૩૧/૫/૨૦૨૫ સુધી શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પરિસર ઉમરસાડી માછીવાડ ગામ ખાતે આયોજન કરવામાં આવેલ છે. આ રામ કથામાં અતિથિ વિશેષ તરીકે શ્રી માછી સમાજના કુલગુરુ પ.પૂ. શ્રી શ્રી ૧૦૦૮ બેટા બેતિયા પીઠાધીશ્વર શ્રી મહંત ગોપાલદાસજી ગુરુ રામમિલનદાસજી શાસ્ત્રી હોડીવાળા મહારાજ શ્રી ડાકોર પોથીના મુખ્ય યજમાન પરિવાર રણજીતભાઈ નારણભાઈ ટંડેલ તથા તેમના ધર્મપત્ની ધર્મિષ્ઠાબેન રણજીતભાઈ ટંડેલ આઝાદ ફળિયાતેમજ  રમણભાઈ ગાંડાભાઈ ટંડેલ નટવરભાઈ નરસિંહભાઈ ટંડેલ  રમેશભાઈ હરિભાઈ ટંડેલ હરીશભાઈ મંગલાભાઈ ટંડેલ  દિનેશભાઈ શુક્કરભાઈ ટંડેલ કાંતિભાઈ કલ્યાણભાઈ ટંડેલ તેમજ સ્વ. પાર્વતીબેન મહેન્દ્રભાઈ ટંડેલ વગેરે ઉપસ્થિત રહ્નાં હતાં. કથાનું રસપાન આચાર્ય પ્રતિકભાઇ જોષી ધરમપુરવાળા ના સાનિધ્યમાં કથાકાર પ. પૂ. અનિલભાઈ જાનીના કંઠે થઈ રહ્નાં છે.