વલસાડના સાહસિક યુવાનો ભ્રિગુ લેક પર પહોંચ્યા
- byDamanganga Times
- 28 May, 2025

પ્રકૃતિ શિક્ષણ અને સાહસિક પ્રવૃતિઓના ભાગરૂપે આરોહણનું આયોજન કરાયું ઃ છ વર્ષના બાળકે હિમાલયની ધૌલાધાર શ્રુંખલાની બકરતાછમાં ૧૧૦૦૦ ફુટ સુધી પગપાળા ટ્રેકિંગ કર્યું
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૭ ઃ વલસાના નેચર ક્લબ દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી પ્રકૃતિ શિક્ષણ અને સાહસિક પ્રવૃતિઓના ભાગરૂપે નેચર કલબના પ્રમુખ પ્રિતેશ બી. પટેલની આગેવાનીમાં કુલ ૭ સભ્યોની ટીમ દ્વારા હિમાચલ પ્રદેશમાં ૧૪૧૦૦ ફૂટ ઉંચાઈ પર આવેલા ભ્રિગુ લેક પર પહોંચી પોતાની અદમ્ય સાહસવૃતિના દર્શન કરાવ્યા હતા. કુલ ૧૭ વ્યક્તિઓઍ આ પર્વતારોહણ અભિયાનમાં ભાગ લીધો હતો. વલસાડથી અનુક્રમે પ્રિતેશ પટેલ (ઉ.વ.૪૨), વંશ પટેલ (ઉ.વ.૧૫), સમર્થ ભટ્ટ (ઉ.વ.૧૫), સુરતથી જૈવલ પટેલ (ઉ.વ.૧૩), વીર ભાટિયા (ઉ.વ.૧૩), તેમજ રાજસ્થાનથી અવનિશ તિવારી (ઉ.વ.૩૯) મળી કુલ ૭ વ્યક્તિ આ અભિયાનમાં સફળ થયા હતા.
વિષમ પરિસ્થિતિ અને ખુબ જ ઓછા પ્રાણવાયુના પ્રમાણના કારણે આ તળાવ સર કરવું કઠિન હતું જેમાં પાંચ ક્લાક બરફ પર ચાલવા પડ્યું હતું પરંતુ બધી તકલીફોના અંતે તા. ૧૪ મે ના રોજ તિરંગા સાથે વલસાડ નેચર ક્લબનો ઝંડો પણ ત્યાં લહેરાઈ રહ્ના હતો. આ આરોહણનું આયોજન ટ્રેક ઍન્ડ રાઇડ ઇન્ડીયા તેમજ નેચર ક્લબ વલસાડના સંયુક્તપણે કરવામાં આવ્યું હતું અને જેમાં છ વર્ષથી લઈને ૪૭ વર્ષ સુધીના યુવક યુવતીઓઍ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જેમાંથી સૌથી નાની વયના બાળક માધવ પટેલ (ઉ.વ.૬) વર્ષ દ્વારા હિમાલયની ધૌલાધાર શ્રુંખલામાં બકરતાછ ૧૧૦૦૦ ફુટ સુધી જાતે પગપાળા ટ્રેકિંગ કરવામાં આવ્યુ હતું જેનાથી બાકીના સભ્યોને પ્રેરણા મળી હતી. ૧૭ માંથી કુલ ૧૧ સભ્યો દ્વારા પીર પંજાલ શ્રુંખલામાં ભ્રિગુ લેક માટે આરોહણ શરુ કરવામાં આવ્યુ હતું જેમાંથી ૭ સભ્યો જ ૧૪૧૦૦ ફુટની ઉચાઇ પર સ્થિત ભ્રિગુ લેક સુધી પહોંચી શક્યા હતા. બાકીના સભ્યો ૧૦૦૦૦ ફુટ પરથી પરત ફર્યા હતાં. જેમાં જૈવલ અને વીર ૧૩ વર્ષના હોવાની સાથે સમગ્ર ભારતમાંથી ૨૦૨૫ના વર્ષમાં સૌથી નાની વયે ભ્રિગુ લેક સર કર્યુ ઍ પ્રશંસાને પાત્ર છે. આગામી તા. ૧૮ જુન થી ૨૭ જુન દરમ્યાન આવા જ ઍક રોમાંચક હમ્તા પાસ અને ચંદ્રતાલ તળાવ ટ્રેકનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સાહસિકવૃત્તિ ધરાવતા લોકો ભાગ લઇ શકે છે. પર્યાવરણ જાગૃતિ અને ગ્લોબલ ર્વોમિંગ વિશે જનજાગૃતિ ફેલાવવા માટે નેચર કલબ દ્વારા ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે ઍમ પ્રિતેશ પટેલ દ્વારા જણાવાયું હતું.