દમણના દરિયા કિનારે ચોમાસા પહેલાં ગોવાની જેમ બીચગાર્ડની તૈનાતી જરુરી
- byDamanganga Times
- 27 May, 2025
.jpeg)
(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
દમણ, તા. ૨૬ ઃ દર વર્ષે ચોમાસા દરમિયાન ઘણા પ્રવાસીઓ દમણના દરિયામાં ડૂબીને જીવ ગુમાવે છે. દરિયાના ઉછળતા મોજા અને તીવ્ર પ્રવાહ અજાણ પ્રવાસીઓ માટે જીવલેણ સાબિત થાય છે. આવી સ્થિતિમાં, હવે જિલ્લા વહીવટીતંત્રે સમયસર સતર્ક રહેવાની અને ચોમાસા પહેલા દરિયાકિનારા પર યોગ્ય સલામતી વ્યવસ્થા કરવાની જરૂર છે. ચોમાસા દરમિયાન દરિયામાં પ્રવાહ ખૂબ જ તીવ્ર હોય છે. જામપોર, ચપલી શેરી બીચ અને દમણગંગાનદી જેટી જેવા સ્થળોઍ પણ અગાઉ ઘણા અકસ્માતો થયા છે. મોજાઓની સુંદરતા અને ઠંડી પવનનો આનંદ માણતા ઘણા પ્રવાસીઓ પોતાનો જીવ ગુમાવે છે.
અલબત્ત, દમણનો ફાયર વિભાગ અત્યાધુનિક સાધનોથી સજ્જ છે. આવી સ્થિતિમાં, તેમને દરિયા કિનારે જરૂરી સ્થળોઍ તૈનાત કરી શકાય છે, જેથી અકસ્માત સમયે ઝડપી કાર્યવાહી કરી શકાય. ઍ જ રીતે અન્ય વિકલ્પે દરિયા કિનારે ચા અને નાસ્તો વેચતા ફેરિયાઓને પણ મૂળભૂત તાલીમ આપવી જોઈઍ. જો તેઓ કોઈ નશામાં ધૂત પર્યટકને દરિયામાં જતા જુઍ, તો તેમણે સીટી વગાડીને તેને રોકવો જોઈઍ અને તાત્કાલિક પોલીસ અથવા સ્ટાફને જાણ કરવી જોઈઍ.
હવે, દર વર્ષની જેમ આ વર્ષે પણ ચોમાસુ આવવાનું છે. જો વહીવટીતંત્ર હમણાં જ પગલાં લે તો ઍક પણ જીવ ડૂબવાથી બચાવી શકાય છે. સમયની માંગ ઍ છે કે દરિયામાં ડૂબવાથી થતા મૃત્યુને ગંભીરતાથી લેવામાં આવે અને નક્કર પગલાં લેવામાં આવે.