Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

પરવાસામાં હનુમાન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

પરવાસામાં હનુમાન મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વાપી, તા. ૨૬ ઃ પારડી તાલુકાના પરવાશા ગામના પાર નદી કિનારે આવેલ ભીમપાડ હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મોહત્સવ ઉજવાયો.

પારડી તાલુકાના પરવાશા ગામે પારનદી કિનારે ભીમપાડ હનુમાનજીનો પ્રાણ પ્રતિષ્ઠા અને ધ્વજા રોહણનો કાર્યક્રમ ઉજવાયો જેમાં  સદગુરુ મહંદ કરુણાનદ સરસ્વતીજી મહારાજના સાનિદ્યમાં પધારેલા અન્ય સંતોમા વલસાડના ભીડભંજન મહાદેવના ટ્રસ્ટી શિવજી મહારાજ ઉમરગામ તાલુકાના કનાડું  ગામે આવેલ ગૌશાળાના  ટ્રસ્ટી અખંડનદજી મહારાજ અને ૧૧ભ્રાહ્મણ દ્વારા મંત્રોચ્ચાર કરી પ્રાણ પ્રતિષ્ઠા તેમજ ધ્વજા રોહણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય મહામંત્રી અને યુકેના પ્રભારી ઉત્તંભાઈ પટેલ ચલાવાળા હાજર રહ્ના હતા અને આ મંદિરની પ્રથમ ધ્વજા રોહણનો લાભ મેળવ્યો હતો.

 આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પરવાસા ગામ તેમજ તેની આજુબાજુના ગામોમાં રહેતા હજારો ભક્તો ઉપસ્થિત રહ્ના હતા અને તેઓઍ મહાપ્રસાદનો લાભ પણ લીધો હતો. આમ હનુમાનજી મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી તેમજ શ્રદ્ધાપૂર્વક ઉજવાયો હતો.