Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

વલસાડ માર્કેટના વેપારીઓ તરીયાવાડમાં કેમ જતા નથી?

વલસાડ માર્કેટના વેપારીઓ તરીયાવાડમાં  કેમ જતા નથી?

વલસાડનો પત્ર

કમલેશ હરિયાવાલા, વલસાડ

 વલસાડ શાકભાજી માર્કેટ નું નવી બિલ્ડીંગનું બાંધકામ  ચાલતું હોવાથી પાલિકા દ્વારા  વૈકલ્પિક જગ્યા વલસાડના તળિયાવાડ માં  જગ્યા અને લાઈટ પાણી સહિતની વ્યવસ્થા કરવા તેમ છતાં વેપારીઓ ત્યાં વેચાણ કરવા ગયા ન હતા. તો બીજી તરફ કૈલાશ ઉપર રોડ પર આવેલ ઍક મોટી જગ્યામાં પણ  શાકભાજી માર્કેટ ખસેડવાની હિલચાલ ચાલી હતી. જોકે તે જગ્યા પર અનુકૂળ નથી આવતા  વેપારીઓ ગયા ન હતા.  શાકભાજી માર્કેટનું નવી બિલ્ડીંગનું બાંધકામમાં અડચણરૂપ બનતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શાકભાજી માર્કેટમાં ધંધો નહીં કરવા અંગે જાહેરનામુ બહાર પાડવા તેમ છતાં આજરોજ શાકભાજી માર્કેટમાં કેટલાક વેપારીઓ  લારી કે પથારો નાખી વેચવા બેસતા વલસાડ સીટી પોલીસ સાથે રોજેરોજ ઘર્ષણ થાય  તેવી સ્થિતિ ઊભી થઈ છે તો કેટલાક વેપારીઓ  તરીયા વાળમાં વેપાર કરવાના બદલે  ઍપીઍમસી કેરી માર્કેટમાં જગ્યાની માંગણીઓ કરી રહ્ના છે.

 વલસાડ નગરપાલિકા વિસ્તારમાં આવેલ ફાઈનલ પ્લોટ નં. ૧૦૪ તથા લાગુ ફાઈનલ પ્લોટ નં. ૧૦૩માં આવેલ મોરારજી દેસાઈ વેજીટેબલ માર્કેટના નવા બિલ્ડીંગનું બાંધકામ હાલ પ્રગતિ હેઠળ છે. બિલ્ડીંગની બાંધકામ સાઈટની ચારે બાજુ ફરતે આવેલ જાહેર રસ્તામાં નાના-મોટા શાકભાજી વિક્રેતાઓ તથા લારી કે પાથરણા દ્વારા અન્ય પરચુરણ વસ્તુઓનું વેચાણ કરતા ફેરિયાઓના કારણે કામગીરીમાં વિક્ષેપ ઉભો થઈ રહ્ના છે. તેથી ઉકત ફેરિયાઓના કારણે જાહેર જનતાની અવર-જવર પણ વધારે રહે છે. જેના કારણે શાકભાજી માર્કેટના નવા બિલ્ડીંગના બાંધકામ દરમિયાન કોઈ દુર્ઘટના સર્જાય તો મોટી જાનહાની સર્જાય તેવી શક્યતા નકારી શકાય નહિ, જેથી લોકોના જાન-માલની સુરક્ષા ધ્યાને લઈ ઉપરોક્ત હંગામી ધોરણે લારી-ગલ્લા તથા પાથરણા મારફત શાકભાજી કે અન્ય પરચુરણ ચીજવસ્તુઓનું વેચાણ કરતા ફેરીયાઓને ઉકત બાંધકામ સાઈટની ચારેબાજુ આવેલ જાહેર રસ્તામાં પ્રવેશતા અટકાવી તેઓને અન્ય વૈકલ્પીક જગ્યાઍ સ્થળાંતર કરાવવુ જરૂરી છે. વલસાડ નગરપાલિકાઍ વૈલ્પિક જગ્યા તરીકે તરીયાવાડ માં આવેલ ખુલ્લા પ્લોટને સ્થળાંતરીત જ્ગ્યામાં લાઈટ રસ્તા જેવી  પાયાની સુવિધા ઉભી કરવામાં આવી છે. શાકભાજી માર્કેટના વેપારીઓ માટે તરીયાવાડમાં જગ્યા ફાળવવા તેમ છતાં શાકભાજીના વેપારીઓ  શાકભાજી માર્કેટની ફરતે પથારો નાખી કે લારી લગાવી  ધંધો  કરે છે. તો બીજી તરફ કૈલાશ ઉપર રોડ પર આવેલ ઍક મોટી જગ્યામાં પણ શાકભાજી માર્કેટ ખસેડવાની હિલચાલ ચાલી હતી. જોકે તે જગ્યા પર અનુકૂળ નથી આવતા વેપારીઓ ગયા ન હતા. શાકભાજી માર્કેટનું નવી બિલ્ડીંગનું બાંધકામમાં અડચણરૂપ બનતા જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા શાકભાજી માર્કેટમાં ધંધો નહીં કરવા અંગે જાહેરનામુ બહાર પાડવા તેમ છતાં આજરોજ શાકભાજી માર્કેટમાં કેટલાક વેપારીઓ લારી કે પથારો નાખી વેચવા બેસતા વલસાડ સીટી પોલીસ સાથે રોજેરોજ ઘર્ષણ થાય તેવી સ્થિતિ ઊભી થઈ છે તો કેટલાક વેપારીઓ તરીયા વાળમાં વેપાર કરવાના બદલે ઍપીઍમસી કેરી માર્કેટમાં જગ્યાની માંગણીઓ કરી રહ્ના છે.  માર્કેટમાં નવી બની રહેલી બિલ્ડીંગ ના ચાલી રહેલા બાંધકામું ને કામગીરીમાં  ચારે બાજુ લારી કે, રોડ પર બેસી ધંધો કરનારા વેપારીઓને હટાવવા માટે નગરપાલિકા અને પોલીસ ની ટીમ  જય કલેકટર ઍ બહાર પાડેલા જાહેર નમવાનો ભંગ કરતા હોવાથી  તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે તેમ છતાં  આજે પણ કેટલાક વેપારીઓ  શાકભાજી માર્કેટમાં ધંધો કરવા માટે  જવાની ફિરાગમાં છે.