વલસાડમાં પરિરકવ થયેલી કેરી ઉતારી દેવા સલાહ અપાઈ
- byDamanganga Times
- 27 May, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઇ વલસાડ જિલ્લા નાયબ બાગાયત નિયામક દ્વારા ખેડૂતોને સલાહ આપવામાં આવી છે. જે મુજબ હાલમાં પરિપકવ થયેલી કેરી ઉતારી બજાર વ્યવસ્થા કરી દેવી તેમજ અપરિપકવ કેરીની ડાળીઓને ટેકા મંડપ આપી રક્ષણ આપવું. વરસાદ અને પવન દરમ્યાન ઝાડ પર ચઢવું નહી તેમજ સુરક્ષિત જગ્યાઍ લણળી કરેલ પાકને સાચવવો. ખેતરમાં જરૂરી માપસર પિયત આપવુ, જંતુનાશક દવા અને નિંદામણનાશક દવાનો કે રાસાયણીક ખાતરોનો ઉપયોગ આ સમયગાળા માટે ન કરવો, શાકભાજી પાકો રોગ-જીવાતનો ઉપદ્રવ ન વધે તેના નિયંત્રણ માટે કૃષિ વિજ્ઞાન કેંદ્ર, અંભેટી કપરાડા અને નવસારી કૃષિ યુનિવર્સીટી નવસારી દ્વારા જણાવવામાં આવેલા પગલા લેવા અનુરોધ કરાયો છે.