Damanganga Times.

Damanganga Times.

June 15, 2025

હરિયામાં નાગદેવતા મંદિરનો ૧૯ મો પાટોત્સવ ઉજવાયા

હરિયામાં નાગદેવતા મંદિરનો ૧૯ મો પાટોત્સવ ઉજવાયા

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)

વલસાડ, તા. ૨૬ ઃ  હરિયા ગામના નાગદેવતા (ઈસ્પાર દેવ) તથા હનુમાનજી મંદિરનો ૧૯ મો પાટોત્સવઁનિમિત્તે  કથા અને હોમ પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. અતુલ નજીકના હરિયા ગામે આવેલા  નાગદેવતા (ઈસ્પાર દેવ) તથા હનુમાનજી મંદિરનો ૧૯ મો પાટોત્સવ મંદિરના પટાંગણમાં ઉજવણી કરવામાં આવી હતી. 

આ પ્રસંગે  સવારે  ૭ઃ૦૦ કલાકે કથા અને  હોમ પૂજન  તથા મહા આરતી સવારે ૧૧ઃ૩૦ કલાકે  કરવામાં આવી હતી આ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવતા મોટી સંખ્યામાં ભક્તોઍ તેનો લાભ લીધો હતો. મંદિરના પાટોત્સવને સફળ બનાવવા ગામના ભક્તોઍ ભારે જહેમત  ઉઠાવી હતી.