વલસાડમાં ગણેશજીની પ્રતિમા નવ ફૂટની જ રાખવા જિલ્લા કલેકટરનું ફરમાન
- byDamanganga Times
- 27 May, 2025

(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
વલસાડ, તા. ૨૬ ઃ ગણપતિ બાપા ની પીઓપીની પ્રતિમા અને તાજીયા જુલુસ ઊંચા હોવાના કારણે વિસર્જન યાત્રા દરમિયાન શોટ સર્કિટ ના બનાવો અને નદી, તળાવ દરિયામાં વિસર્જન કારણે પ્રદુષણના મુદ્દે છેલ્લા ત્રણ વર્ષથી સરકાર દ્વારા મૂર્તિ ની ઊંચાઈ અને પ્રદૂષણ બાબતે ધ્યાનમાં રાખી વલસાડ જિલ્લા કલેકટર દ્વારા વલસાડ જિલ્લામાં ગણપતિ બાપાની પ્રતિમા અને તાજીયા જુલુસ ની ઊંચાઈ નવ ફૂટની રાખવા માટેનું જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જાહેરનામાનો ભંગ કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે.