Damanganga Times.

Damanganga Times.

September 09, 2026

અટગામમાં ગુરુવારે આયુષ્માન ભવ યજ્ઞ યોજાશે

અટગામમાં ગુરુવારે આયુષ્માન ભવ યજ્ઞ યોજાશે


વલસાડ, તા.૦૧ ઃ તા.૦૩/૦૯/૨૦૨૬ ગુરુવારે અટગામ ના સામૂહિક આરોગ્ય કેન્દ્ર -રેફરલ હોસ્પિટલમાં  સવારે ૧૦ થી બપોરે વાગ્યા સુધી અટગામ વિસ્તારના લાગુ ગામડાની આરોગ્ય સેવા ઇચ્છતી પ્રજાના માટે વલસાડ સરકારી મેડિકલ કોલેજના તબીબોની ઉપસ્થિતિમાં વિશેષ સારવાર નિદાન યજ્ઞ યોજાયો છે. જેમાં ઉપલબ્ધ સેવાઓ મેડિસીન, ગાયનેકોલોજી, ઑર્થોપેડીક. પીડીયાટ્રીક, ઓપ્થેલ્મોલોજીસ્ટ,આખકાન, જનરલ સર્જન, ચર્મ રોગ ્રૂ વી.ડી. દાંતની સારવાર,સાયક્યાટ્રીક વિ.ના નિષ્ણાત તબીબો નિદાન કરશે જેઓને અત્રેના તબીબ વૃન્દ ડૉ. રેણુકા ડૉ. ક્રિષ્ના,ડૉ. પ્રચિન પરમાર  સહભાગી થશે ઍમ અધિક્ષક ડૉ. જયાબેન પટેલ દ્વારા ગ્રામજનોને લાભ લેવા જણાવાય છે અને સેગવા પ્રા. આરોગ્ય કેન્દ્રના ઘડોઈ, મૂળી, પીઠા વિ. સબ સેન્ટરના પણ ઈચ્છુકો વિશેષ તપાસ કરાવી શકે છે.