Damanganga Times.

Damanganga Times.

September 01, 2026

દેવસર નવનાથધામમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ

દેવસર નવનાથધામમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ


(દમણગંગા ટાઈમ્સ પ્રતિનિધિ)
બીલીમોરા, તા. ૩૧ ઃ દેવસર નવનાથ ધામના સંત બ્રહ્મલીન પ.પૂ. સાનેદાદાની ૨૪મી પુણ્યતિથિ નિમિત્તે બીલીમોરા સ્મશાનભૂમિ ખાતે આવેલા પવિત્ર આસ્થા વટના દર્શન અને પૂજન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. સાનેદાદાના અગ્નિસંસ્કાર સાથે જોડાયેલું આ પવિત્ર સ્થળ વર્ષોથી તેમના અનુયાયીઓ માટે આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. શ્રાવણ વદ પાંચમ, તા. ૨૮ ઓગસ્ટ ૨૦૦૨ના રોજ ગુરુદેવ સાનેદાદા બ્રહ્મલીન થયા હતા. બીલીમોરા સ્મશાનભૂમિ ખાતે તેમના અગ્નિસંસ્કાર બાદ આસ્થા વટનું વાવેતર કરવામાં આવ્યું હતું. આજે વિશાળ સ્વરૂપ ધારણ કરેલું આ વટવૃક્ષ સાનેદાદાની સ્મૃતિ, સંસ્કાર અને આધ્યાત્મિક પરંપરાનું પ્રતીક બની રહ્નાં છે. નાથપંથની પરંપરાને વ્યક્ત કરતી પંક્તિ વડલો છે ઍ નાથપંથનો, ઘેઘુર ઘન ગંભીર અહીં જાણે સાકાર થતી અનુભૂતિ કરાવે છે.
નવનાથ ધામના વર્તમાન ગાદીપતિ પ.પૂ. છોટેદાદાઍ બીલીમોરા સ્મશાનભૂમિ ખાતે આસ્થા વટના દર્શન કરી પૂજન કર્યું હતું અને બ્રહ્મલીન સાનેદાદાને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. આ પ્રસંગે નવનાથ ધામ ખાતે ગુરુપાદુકા પૂજન પણ કરવામાં આવ્યું હતું. સાનેદાદાની સેવાભાવનાની પરંપરાને આગળ ધપાવતા પ.પૂ. છોટેદાદાના માર્ગદર્શન હેઠળ કાર્યરત ટ્રસ્ટ દ્વારા પુણ્યતિથિ નિમિત્તે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી. ગૌશાળામાં ગૌ-ગ્રાસનું દાન કરવામાં આવ્યું હતું. તેમજ છાત્રાલયના વિદ્યાર્થીઓ માટે ભોજનની વ્યવસ્થા કરાઈ હતી. વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓને નોટબુક, પેન્સિલ સહિતની જરૂરી સ્ટેશનરીનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું.
સાનેદાદાઍ સમાજને આપેલો બહુજન હિતાય, બહુજન સુખાયનો સંદેશ આજે પણ વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ દ્વારા જીવંત રાખવામાં આવી રહ્ના છે. પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી સેવાપ્રવૃત્તિઓ દ્વારા પરમાર્થ અને સેવાભાવની આ પરંપરાને વધુ વેગ મળ્યો છે. સમગ્ર વર્ષ દરમિયાન બ્રહ્મલીન પ.પૂ. સદગુરુ શ્રી સાનેદાદા મહા સમાધિ વર્ષ તરીકે વિવિધ ધાર્મિક અને સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવશે.