ધરમપુરમાં પાંચ દિવસીય ટીબી નાબૂદી અભિયાન હાથ ધરાયું
- byDamanganga Times
- 24 August, 2026
(દમણગંગા ટાઈમ્સ)
ધરમપુર, તા. ૨૩ ઃ વલસાડ જિલ્લામાં ટીબી મુક્ત ભારત અભિયાનને જન-જન સુધી પહોંચાડવા અને યુવાનોને ટીબી ઉન્મૂલન અભિયાન સાથે સક્રિય રીતે જોડવાના ઉદ્દેશ્યથી મેરા યુવા ભારત, વલસાડ દ્વારા પાંચ દિવસીય અનુભવાત્મક શિક્ષણ અને તાલીમ કાર્યક્રમનો પ્રારંભ ધરમપુર ટીબી સેન્ટર ખાતે કરવામાં આવ્યો. આ કાર્યક્રમ જિલ્લા ક્ષય રોગ અધિકારી ઍચ. પી. સિંહ તથા જિલ્લા યુવા અધિકારી આયુષ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આયોજિત કરવામાં આવ્યો છે.
કાર્યક્રમના પ્રથમ દિવસે યુવાનોને ટીબીના કારણો, મુખ્ય લક્ષણો, સંક્રમણથી બચાવ, તપાસની પ્રક્રિયા, સારવાર તેમજ ટીબી સંબંધિત મહત્વપૂર્ણ આરોગ્ય માહિતી આપવામાં આવી હતી. આરોગ્ય વિભાગના નિષ્ણાતોઍ યુવાનોને જણાવ્યું કે, ટીબી ઍક સારવાર યોગ્ય રોગ છે અને સમયસર રોગની ઓળખ, જરૂરી તપાસ તથા તબીબી સલાહ અનુસાર નિયમિત સારવાર દ્વારા ટીબીમાંથી સંપૂર્ણપણે સ્વસ્થ થઈ શકાય છે. પ્ળ્ ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દના સ્વયંસેવકોને ટીબી ઉન્મૂલન અભિયાન અંગે વ્યવહારુ તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ દરમિયાન યુવાનોને સમાજમાં ટીબી અંગે જાગૃતિ ફેલાવવા, રોગ સાથે જોડાયેલી ગેરમાન્યતાઓ અને સામાજિક ભેદભાવ દૂર કરવા તેમજ લોકોને સમયસર તપાસ અને સારવાર માટે પ્રેરિત કરવાની માહિતી આપવામાં આવશે.
તાલીમ પ્રા કરેલા પ્ળ્ ગ્ર્ત્ર્ીર્શ્વીદ્દના સ્વયંસેવકો જિલ્લાના પસંદ કરાયેલા પાંચ ગામોમાં જઈને ટીબી જાગૃતિની વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરશે. તેઓ ગ્રામજનોને ટીબીના લક્ષણો, તપાસ, સારવાર, બચાવના ઉપાયો તેમજ ઉપલબ્ધ આરોગ્ય સેવાઓ અંગે માહિતી આપશે અને જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સેવાઓ સુધી પહોંચવામાં સહયોગ કરશે.
મેરા યુવા ભારત, વલસાડનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને માત્ર ટીબી અંગે માહિતી આપવાનો નથી, પરંતુ તેમને ટીબી જાગૃતિના અસરકારક દૂત તરીકે તૈયાર કરવાનો છે. સ્વયંસેવકોની સક્રિય ભાગીદારી દ્વારા પસંદ કરાયેલા ગામોમાં ટીબી અંગે જાગૃતિ વધારવા, સમયસર તપાસ અને સારવારને પ્રોત્સાહિત કરવા તેમજ ટીબી સાથે જોડાયેલા સામાજિક ભેદભાવને ઘટાડવાના પ્રયાસો કરવામાં આવશે.
અધિકારીઓઍ જણાવ્યું કે, ટીબી મુક્ત ભારતનું લક્ષ્ય સામુદાયિક ભાગીદારી અને જનજાગૃતિ વિના પ્રા કરી શકાય નહીં. આવા સંજોગોમાં યુવાનોની ઊર્જા, જાગૃતિ અને સક્રિય ભાગીદારી ટીબી ઉન્મૂલન અભિયાનને ગામે - ગામ પહોંચાડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે.
